તાલાલા ગીરમાં સિંધી સમાજ દ્વારા 'ચાલીસા મહોત્સવ'ની ભવ્ય અને ભક્તિમય ઉજવણી
તાલાલા ગીરમાં સિંધી સમાજ દ્વારા 'ચાલીસા મહોત્સવ'ની ભવ્ય અને ભક્તિમય ઉજવણી
Published on: 17th September, 2026

તાલાલા ગીરમાં સિંધી સમાજના ઇષ્ટદેવ ઝુલેલાલ સાહેબ નાં ચાલીસા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી. શ્રદ્ધાળુ પરિવારોએ ચાલીસ દિવસના કઠોર ઉપવાસ અને દરરોજ સત્સંગ દ્વારા ઈષ્ટદેવની આરાધના કરી. પૂર્ણાહુતિ પ્રસંગે ભજન, ભોજન અને વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, ત્યારબાદ સમુહ ભોજન કરવામાં આવ્યું. સંત ઝુલેલાલનાં ભજનોથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું. સમાજના પરિવારોએ ધંધા-રોજગાર બંધ રાખી જોડાઈ શ્રદ્ધા અને એકતાની ભાવના પ્રજ્વલિત કરી.