Menu
વિશ્વ ઉમિયાધામમાં 'સોનાની હાટડી' પુસ્તકનું વિમોચન: પાટડી દરબારોની 750 વર્ષની વંશાવલી રજૂ
વિશ્વ ઉમિયાધામમાં 'સોનાની હાટડી' પુસ્તકનું વિમોચન: પાટડી દરબારોની 750 વર્ષની વંશાવલી રજૂ
Published on: 09th June, 2025

અમદાવાદનાં વિશ્વ ઉમિયાધામ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાટીદારોના ઇતિહાસ પર આધારિત 'સોનાની હાટડી' પુસ્તકનું વિમોચન કર્યું. આ પુસ્તકમાં પાટડીના રાજવી દરબારો અને દેસાઈ ભાયાતોની 750 વર્ષની વંશાવલીનો વિગતવાર ઈતિહાસ દર્શાવાયો છે. કાર્યક્રમમાં પાટડીના 400થી વધુ મૂળ વતની પરિવારો હાજર રહ્યા. મુખ્યમંત્રીએ મા ઉમિયાના દર્શન કરી પૂજા-અર્ચના કરવામાં આવી, તેમજ વિશ્વ ઉમિયાધામના નિર્માણનું નિરીક્ષણ કર્યું. તેમણે એકતા અને સહકારનું મહત્વ સમજાવ્યું. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખે રાજ્ય અને કેન્દ્ર સરકારનો આભાર માન્યો.