ભીમ અગિયારસ: વર્ષની સૌથી મોટી એકાદશી, પવિત્ર અને અક્ષય પુણ્ય આપનારો દિવસ
ભીમ અગિયારસ: વર્ષની સૌથી મોટી એકાદશી, પવિત્ર અને અક્ષય પુણ્ય આપનારો દિવસ
Published on: 25th June, 2026

હિંદુ ધર્મમાં અગિયારસનું વિશેષ મહત્વ છે, જેમાં જેઠ મહિનાના શુક્લ પક્ષની એકાદશી શ્રેષ્ઠ ગણાય છે. આજે દેશભરમાં ભક્તિભાવપૂર્વક ભીમ અગિયારસ, જે નિર્જળા એકાદશી તરીકે પણ ઓળખાય છે, તેની ઉજવણી થઈ રહી છે. આ વર્ષે અધિક માસ હોવાથી આ 15મી એકાદશી છે. વૈષ્ણવ, સ્વામિનારાયણ સંપ્રદાય અને જ્યોતિષ શાસ્ત્રમાં આ દિવસને અત્યંત પવિત્ર અને અક્ષય પુણ્ય આપનારો માનવામાં આવે છે. મહાભારત કાળ સાથે જોડાયેલી આ એકાદશીનું નામ ભીમસેનની કઠિન તપસ્યા પરથી પડ્યું છે. આ દિવસે કરાયેલા જપ, તપ, દાન અને ઉપાસનાનું વિશેષ ફળ મળે છે.