ઝાડેશ્વર નીલકંઠેશ્વર મંદિરમાં અધિક માસની ભવ્ય શરૂઆત, ભક્તોનું ઘોડાપૂર.
ઝાડેશ્વર નીલકંઠેશ્વર મંદિરમાં અધિક માસની ભવ્ય શરૂઆત, ભક્તોનું ઘોડાપૂર.
Published on: 20th May, 2026

ઝાડેશ્વર સ્થિત ઐતિહાસિક નીલકંઠેશ્વર મહાદેવ મંદિરમાં અધિક માસના પ્રથમ દિવસથી ભક્તોની અવિરત ભીડ જોવા મળી રહી છે. મંદિર "ઓમ નમઃ શિવાય" અને "હર હર મહાદેવ"ના નાદથી ગુંજી રહ્યું છે. શ્રદ્ધાળુઓ માટે વિશેષ પૂજા, રુદ્રાભિષેક અને પારાયણનું આયોજન કરાયું છે. ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી હજારો શિવભક્તો પવિત્ર નર્મદા સ્નાન અને દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી રહ્યા છે, જેના કારણે મંદિર પરિસરમાં ભક્તિનો અનોખો મહેરામણ છવાયો છે.