રામ મંદિર CEO પસંદગી: દાન ચોરી વિવાદ વચ્ચે યોગ્યતાના નિયમો જાહેર
રામ મંદિર CEO પસંદગી: દાન ચોરી વિવાદ વચ્ચે યોગ્યતાના નિયમો જાહેર
Published on: 11th July, 2026

રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના CEO પદ માટે સર્ચ કમિટીએ દિલ્હીમાં બેઠક યોજી માપદંડ નક્કી કર્યા છે. આ માપદંડ મુજબ, ઉમેદવાર સ્નાતક (ગ્રેજ્યુએટ) હોવા જોઈએ, જેઓની પાસે 20 વર્ષનો વહીવટી/નાણાકીય અનુભવ હોય અને હિન્દુ ધર્મના અનુયાયી હોય. Temple Management નો અનુભવ ધરાવનારને પ્રાથમિકતા મળશે. રામ મંદિર દાન ચોરીના મામલાની તપાસ વચ્ચે શનિવારે આ કવાયત હાથ ધરાઈ છે. 18 જુલાઈ સુધી અરજીઓ મંગાવવામાં આવશે અને 3 વર્ષ માટે CEOની નિમણૂક થશે.