76 વર્ષીય ભાવિકે 700 કિલોમીટરની દંડવત યાત્રા પૂર્ણ કરી દ્વારકાધીશના કર્યા દર્શન
76 વર્ષીય ભાવિકે 700 કિલોમીટરની દંડવત યાત્રા પૂર્ણ કરી દ્વારકાધીશના કર્યા દર્શન
Published on: 23rd July, 2026

રાજસ્થાનના 76 વર્ષીય સખારામ રાજપુતે પોતાની અડગ આસ્થા અને સંકલ્પના બળે લગભગ 700 કિલોમીટરની દંડવત યાત્રા પૂર્ણ કરી છે. તેમણે જાન્યુઆરી માસમાં પોતાના વતનથી આ યાત્રા શરૂ કરી હતી અને 22 જુલાઈના રોજ દ્વારકા પહોંચ્યા હતા. જગત મંદિરમાં ભગવાન દ્વારકાધીશના દર્શન કરી તેમણે પોતાની યાત્રા ચરણોમાં સમર્પિત કરી. આ તેમની દ્વારકાની ત્રીજી દંડવત યાત્રા હતી, અને તેમણે જણાવ્યું કે તેમને યાત્રા દરમિયાન લોકોનો પ્રેમ અને સહયોગ મળ્યો. જોકે, જામનગર નજીક તેમની ત્રણ લાખ રૂપિયાની લૂંટ થઈ હતી, જેની રકમ હજુ પરત મળી નથી.