પેપર લીક મામલે રાજકારણ ગરમાયું: 26 જુલાઈએ મુંબઈમાં રસ્તા પર ઊતરશે ઠાકરે બંધુઓ
પેપર લીક મામલે રાજકારણ ગરમાયું: 26 જુલાઈએ મુંબઈમાં રસ્તા પર ઊતરશે ઠાકરે બંધુઓ
Published on: 23rd July, 2026

મહારાષ્ટ્રમાં વિદ્યાર્થીઓના આંદોલન વચ્ચે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેએ 26 જુલાઈએ મુંબઈમાં સંયુક્ત મોરચો કાઢવાની જાહેરાત કરી છે. તેમનું કહેવું છે કે આ મોરચા દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓનો રોષ સરકાર સુધી પહોંચાડવામાં આવશે. બંને નેતાઓએ સરકાર પર વિદ્યાર્થીઓની અવગણના કરવાનો આરોપ લગાવ્યો અને શાંતિપૂર્ણ પ્રદર્શનમાં વિક્ષેપ કરનારાઓ સામે કડક ચેતવણી આપી. તેમણે મોટી સંખ્યામાં જોડાવા અપીલ કરી. બીજી તરફ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેપર લીકના કેસોમાં દોષિતોને ઝડપી સજા માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની જાહેરાત કરી છે.