ગણપતપુરામાં સંકષ્ટ ચતુર્થી અને રવિવારે ભક્તોની ભારે ભીડ ઉમટી.
ગણપતપુરામાં સંકષ્ટ ચતુર્થી અને રવિવારે ભક્તોની ભારે ભીડ ઉમટી.
Published on: 06th April, 2026

ગણપતપુરામાં સંકષ્ટ ચતુર્થી અને રવિવારના સંગમ નિમિત્તે ભક્તો ઉમટ્યા. 'ગણપતિ બાપ્પા મોરિયા'ના જયઘોષથી મંદિર ગુંજી ઉઠ્યું. હજારો શ્રદ્ધાળુઓએ ફરાળી પ્રસાદનો લાભ લીધો. મંદિર ટ્રસ્ટ દ્વારા ગરમીને ધ્યાનમાં રાખી છાંયડા, ઠંડા પાણી અને ફરાળી પ્રસાદની વ્યવસ્થા કરાઈ. અમદાવાદ જિલ્લાના ધોળકામાં ભક્તોનું મહેરામણ ઉમટ્યું.