સોનમ વાંગચુકે જનતા સામે મૂકી શરત: 20 જુલાઈની સંસદ માર્ચ સફળ રહી તો અનશન ખતમ કરી દઈશ
સોનમ વાંગચુકે જનતા સામે મૂકી શરત: 20 જુલાઈની સંસદ માર્ચ સફળ રહી તો અનશન ખતમ કરી દઈશ
Published on: 17th July, 2026

દિલ્હીના જંતર-મંતર પર 20 દિવસથી ભૂખ હડતાળ પર બેઠેલા સોનમ વાંગચુકે પોતાના ઉપવાસ સમાપ્ત કરવા માટે દેશની જનતા સમક્ષ એક મહત્વની શરત રાખી છે. NEET પેપર લીક કૌભાંડના વિરોધમાં અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે ચાલી રહેલા આંદોલનમાં, વાંગચુકે સંકેત આપ્યો છે કે જો 20 જુલાઈના રોજ યોજાનારો સંસદ માર્ચ સફળ થશે તો તેઓ ઉપવાસ છોડી દેશે. 19 દિવસમાં 9 કિલો વજન ઘટવા છતાં તેમનું મનોબળ મક્કમ છે. તેમણે લોકોને આ માર્ચમાં જોડાવવા અને પોતાની માતાઓને સાથે લાવવા અપીલ કરી છે, જેથી સરકાર પર દબાણ લાવી શકાય.