મોદીના ભોજન સમારંભમાં શી-જિનપિંગની ગેરહાજરી!
મોદીના ભોજન સમારંભમાં શી-જિનપિંગની ગેરહાજરી!
Published on: 14th September, 2026

નવી દિલ્હીમાં આયોજિત BRICS દેશોના ભોજન સમારંભમાં ચીનના રાષ્ટ્રપતિ શી-જિનપિંગની ગેરહાજરી ચર્ચાનો વિષય બની રહી. આ શાકાહારી ભોજન સમારંભમાં રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતીન સહિત અનેક વૈશ્વિક નેતાઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જોકે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય મંત્રણા બાદ શી-જિનપિંગ સીધા હોટેલ અને પછી એરપોર્ટ જવા રવાના થયા હતા. વિશ્લેષકોના મતે, BRICS પરિષદમાં વડાપ્રધાન મોદીનું વધતું પ્રભુત્વ અને પુતીન સાથેની તેમની નિકટતા શી-જિનપિંગને પસંદ ન પડતાં તેઓ ભોજન સમારંભમાં ગેરહાજર રહ્યા હોઈ શકે છે.