AAPને ઝટકો, રાઘવ ચઢ્ઢા સહિતના રાજીનામું આપનારા સાંસદોને ભાજપમાં જોડાવાની મંજૂરી
અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. રાજ્યસભા સચિવાલયે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડીને રાઘવ ચઢ્ઢા સહિતના તમામ સાતેય બાગી સાંસદોને ભારતીય જનતા પાર્ટીના સાંસદ તરીકે માન્યતા આપી દીધી છે. આ સાંસદોના જોડાણ બાદ હવે રાજ્યસભામાં ભાજપના સભ્યોની સંખ્યા વધીને 113 થઈ ગઈ છે, આ મોટા ભંગાણને કારણે આમ આદમી પાર્ટીનું કદ ઘટીને માત્ર 3 સાંસદો સુધી મર્યાદિત થઈ ગયું છે. આ અગાઉ આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે રવિવારે(26 એપ્રિલ, 2026) રાજ્યસભાના સભાપતિ સી.પી. રાધાકૃષ્ણનને પત્ર લખીને આ સાંસદોને અયોગ્ય જાહેર કરવાની માંગ કરી હતી.
AAPને ઝટકો, રાઘવ ચઢ્ઢા સહિતના રાજીનામું આપનારા સાંસદોને ભાજપમાં જોડાવાની મંજૂરી
અસંતોષના વમળમાં ફસાયું સુરત શહેર ભાજપ
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં 59.32 ટકા જેટલું મતદાન થયું છે. આ ચૂંટણીમાં ભાજપ જીતશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે, પરંતુ પક્ષની મજબૂતી પાછળ આંતરિક જૂથબંધીના કારણે ખોખલાપણાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. બહારથી શક્તિશાળી દેખાતો ભાજપ પક્ષ ખાસ કરીને સુરતમાં અંદરખાને અસંતોષના વમળમાં ફસાયેલો જોવા મળે છે. ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ એવી વિગતો બહાર આવી છે કે ભાજપના જ કેટલાક નારાજ નેતાઓ પક્ષના નબળા દેખાવની ઇચ્છા રાખી રહ્યા છે.
અસંતોષના વમળમાં ફસાયું સુરત શહેર ભાજપ
ભરૂચની GIDCમાં કામદારોના મોતનો મામલો: ચૈતર વસાવા અને મૃતકના સગા વચ્ચે ઝપાઝપી
ભરૂચની મેટ્રોપોલિટન એક્ઝીકેમ કંપનીમાં થયેલા પ્રચંડ વિસ્ફોટ અને આગમાં બે કામદારોના મોત તથા ૧૬ લોકો દાઝ્યાની દુર્ઘટના બાદ ભારે હોબાળો મચ્યો હતો. દેડિયાપાડાના 'આપ' ધારાસભ્ય ચૈતર વસાવા જ્યારે કંપનીની મુલાકાતે પહોંચ્યા ત્યારે મૃતક રાકેશ વસાવાના પરિવારજનોએ તેમનો ઉગ્ર વિરોધ કર્યો હતો. આ દરમિયાન ધારાસભ્ય અને મૃતકના સંબંધી રોશન વસાવા વચ્ચે પોલીસની હાજરીમાં જ બોલાચાલી અને ઝપાઝપી થઈ હતી. વિવાદ વકરતા ધારાસભ્યએ યુવકને લાફો ઝીંક્યો હતો, જેની સામે યુવકે પણ વળતો પ્રહાર કરતા સ્થિતિ તંગ બની ગઈ હતી.
ભરૂચની GIDCમાં કામદારોના મોતનો મામલો: ચૈતર વસાવા અને મૃતકના સગા વચ્ચે ઝપાઝપી
ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ઐતિહાસિક ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર, ભારતીય નિકાસકારોને 100% ડ્યુટી ફ્રી
ભારત-ન્યૂઝીલેન્ડે આજે નવી દિલ્હીમાં ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પર હસ્તાક્ષર કરીને દ્વિપક્ષીય વેપાર સંબંધોમાં નવા યુગની શરૂઆત કરી છે. આ ડીલથી બંને દેશોમાં વેપાર, રોકાણ અને રોજગારમાં વધારો થશે. વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ અને ન્યૂઝીલેન્ડના તેમના સમકક્ષ ટૉડ મૈક્લેની ઉપસ્થિતિમાં આ સમજૂતીને સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે. હવે ભારતીય કંપનીઓ ટેક્સ વગર ન્યૂઝીલેન્ડમાં સામાન મોકલી શકશે. આ ઉપરાંત આગામી 15 વર્ષમાં ભારતમાં 20 અબજ ડૉલરનું રોકાણ આવશે.
ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ઐતિહાસિક ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર, ભારતીય નિકાસકારોને 100% ડ્યુટી ફ્રી
ગરમીનો પ્રચંડ કહેર: કેન્દ્ર સરકારની દેશવ્યાપી એડવાઈઝરી જાહેર
ઉત્તર ભારત સહિત દેશના મોટાભાગના રાજ્યોમાં અત્યારે સૂર્યદેવ આકરા પાણીએ છે. સરેરાશ તાપમાન 40 થી 42 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે નોંધાઈ રહ્યું છે. વધતી ગરમીને કારણે બીમારીઓનો ખતરો વધતા કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જનતા માટે ખાસ એડવાઈઝરી જાહેર કરી છે. આ સાથે જ હોસ્પિટલોમાં હીટ સ્ટ્રોક વોર્ડ પણ સક્રિય કરી દેવામાં આવ્યા છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, જ્યારે તાપમાન સતત ઊંચું રહે છે ત્યારે શરીરમાં અનેક સમસ્યાઓ ઉદભવે છે.
ગરમીનો પ્રચંડ કહેર: કેન્દ્ર સરકારની દેશવ્યાપી એડવાઈઝરી જાહેર
ઇઝરાયલના PM બેન્ઝામિન નેતાન્યાહુને પદ ઉપરથી હટાવવા માટે ઇઝરાયલના 2 પૂર્વ વડાપ્રધાનો એક થયા.
PM બેન્ઝામિન નેતાન્યાહુને હરાવવા માટે બે અલગ અલગ વિચારધારા ધરાવતા પૂર્વ પ્રધાનમંત્રીઓએ પોતાની પાર્ટીઓનું વિલિનીકરણ કરીને એક નવી પાર્ટી બનાવવાની જાહેરાત કરી છે. ઇઝરાયલમાં બે ભૂતપૂર્વ વડાપ્રધાનો નફતાલી બેનેટ અને યાયર લેપિડે વર્તમાન વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સામે સાથે મળીને ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. જેનો હેતુ તેમને પદ પરથી હટાવવાનો છે. હવે બંને નેતાઓએ બેનેટના નેતૃત્વમાં એક નવી પાર્ટી બનાવવા માટે ફરીથી એક થવાનો અને તેમના પક્ષોને મર્જ કરવાનો નિર્ણય લીધો છે. ઇઝરાયલમાં ઓક્ટોબર 2027 માં ચૂંટણી થવાની છે.
ઇઝરાયલના PM બેન્ઝામિન નેતાન્યાહુને પદ ઉપરથી હટાવવા માટે ઇઝરાયલના 2 પૂર્વ વડાપ્રધાનો એક થયા.
ભારતના સોલાર સેક્ટરને અમેરિકાનો મોટો ઝટકો: 123 ટકા એન્ટી-ડમ્પિંગ ડ્યુટી ફટકારી
વૈશ્વિક ગ્રીન એનર્જી માર્કેટમાં મહાસત્તા બનવા તરફ આગળ વધી રહેલા ભારતીય સોલર મેન્યુફેક્ચરિંગ સેક્ટર માટે અમેરિકા તરફથી અત્યાર સુધીનો સૌથી મોટો આંચકો આવ્યો છે. અમેરિકાએ ભારતીય સોલર સેલ અને મોડ્યુલ્સની આયાત પર 123.04 ટકા જેટલી પ્રાથમિક એન્ટી-ડમ્પિંગ ડ્યુટી લાદવાની સત્તાવાર જાહેરાત કરી છે. આ નિર્ણય માત્ર એક ટેક્સ નથી, પરંતુ ભારતીય નિકાસકારો માટે અમેરિકન બજારના દરવાજા લગભગ બંધ કરી દેનારો એક આર્થિક પ્રહાર છે. ફેબ્રુઆરીમાં લાદવામાં આવેલી કાઉન્ટરવેલિંગ ડ્યુટી અને હવેની એન્ટી-ડમ્પિંગ ડ્યુટી મળીને ભારતીય ઉત્પાદનો પર કુલ ટેક્સનો બોજ 234 ટકાથી પણ વધી ગયો છે.
ભારતના સોલાર સેક્ટરને અમેરિકાનો મોટો ઝટકો: 123 ટકા એન્ટી-ડમ્પિંગ ડ્યુટી ફટકારી
‘વેગન-આર લઈને આવ્યા અને સીધા શીશમહેલ પહોંચી ગયા’, રાહુલ ગાંધીના કેજરીવાલ પર પ્રહાર
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી રેલીમાં શીશમહેલનો ઉલ્લેખ કરીને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કોલકાતામાં રેલીને સંબોધન કરીને કહ્યું કે, કેજરીવાલે જુદા રાજકારણનું વચન આપ્યું હતું, પરંતુ તેઓ પોતાની નાની ગાડીમાં આવ્યા અને કરોડો રૂપિયાના શીશમહેલમાં જતા રહ્યા. રાહુલે કેજરીવાલ પર કરોડો રૂપિયાનું ઘર ખરીદ્યું હોવાનો, ભ્રષ્ટાચાર કર્યો હોવાનો, દિલ્હીમાં પ્રદૂષણ વધાર્યું હોવાનો અને દિલ્હીમાં કોંગ્રેસની સરકાર વખતે ઉભુ કરેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ખતમ કરી નાખ્યું હોવાનો આક્ષેપ કર્યો છે.
‘વેગન-આર લઈને આવ્યા અને સીધા શીશમહેલ પહોંચી ગયા’, રાહુલ ગાંધીના કેજરીવાલ પર પ્રહાર
મુંબઈમાં બિરયાની ખાધા બાદ રાતે તરબૂચ ખાધું, એક જ પરિવારના ચારના મોત, રહસ્ય ઘેરાયું
મુંબઈથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં પાયધુની વિસ્તારમાં એક જ પરિવારના ચાર લોકોના મોત થયા છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં શોક છવાયો છે, સંબંધીઓ સહિત આસપાસના સ્થાનિક લોકો અને પોલીસ આ દુર્ઘટનાનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે. મહત્વનું છે કે ડોકાડિયા પરિવારે રાત્રે ભોજનમાં બિરયાની ખાધી હતી. તેના થોડા સમય બાદ પરિવારના સભ્યોએ તરબૂચ પણ ખાધું હતું. પરંતુ મોડી રાત્રે અચાનક તમામની તબિયત બગડવા લાગી હતી. હાલત ગંભીર જણાતા તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન ચારેયના કમકમાટીભર્યા મોત થયા હતા.
મુંબઈમાં બિરયાની ખાધા બાદ રાતે તરબૂચ ખાધું, એક જ પરિવારના ચારના મોત, રહસ્ય ઘેરાયું
'રાઘવ ચઢ્ઢાને સાંસદ બનાવ્યા એટલા માટે પરિણીતી સાથે થયા લગ્ન', AAP નેતાનું ચોંકાવનારું નિવેદન
AAP નેતા સૌરભ ભારદ્વાજે કહ્યું કે જો તેઓ રાજ્યસભા સાંસદ ન હોત તો કોઈ પૂછતું નહીં. ભારદ્વાજે કહ્યું, ‘તમારે પાર્ટી છોડવી હતી, છોડી શકતા હતા, લોકો તમને ગાળો ન આપતા. ગાળો એટલે આપવામાં આવી રહી છે કે તમે તમારી પાર્ટી જેણે તમને બધું આપ્યું, આજે તમારા લગ્ન પણ થઈ શક્યા છે ને, તો એટલા માટે કે તમને રાજ્યસભાના સભ્ય બનાવવામાં આવ્યા, નહીંતર કોઈ તમને પૂછતું નહીં. તમને તે પાર્ટીથી કોઈ પણ નારાજગી હોય તમારી, તમે સમગ્ર કાવતરું કર્યું. આખી ટીમને તમે તોડીને લઈ ગયા. ગમે તેટલી દલીલો આપો, લોકો તમને ગાળો સાચી આપી રહ્યા છે.’
'રાઘવ ચઢ્ઢાને સાંસદ બનાવ્યા એટલા માટે પરિણીતી સાથે થયા લગ્ન', AAP નેતાનું ચોંકાવનારું નિવેદન
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે ખુશખબર, લઘુત્તમ પગાર ₹18,000થી વધીને ₹69,000 થવાની શક્યતા
દેશના ૪૫ લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને ૬૦ લાખ પેન્શનરો માટે આઠમા પગાર પંચે ગ્રાઉન્ડ લેવલ પર કામગીરી શરૂ કરી દીધી છે. પંચની ટીમ વિવિધ રાજ્યોની મુલાકાત લઈ કર્મચારી યુનિયનો સાથે બેઠકો કરી રહી છે. કર્મચારી સંગઠનોએ ફિટમેન્ટ ફેક્ટર વધારીને ૩.૮૩૩ કરવાની અને લઘુત્તમ બેઝિક પે ₹૧૮,૦૦૦થી વધારીને ₹૬૯,૦૦૦ કરવા માટે મજબૂત માંગ કરી છે. આ ઉપરાંત, મોંઘવારી ભથ્થાની ગણતરી માટે નવી પદ્ધતિનું પણ સૂચન કરાયું છે, જેનાથી કર્મચારીઓના પગારમાં મોટો ઉછાળો આવી શકે છે.
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે ખુશખબર, લઘુત્તમ પગાર ₹18,000થી વધીને ₹69,000 થવાની શક્યતા
ટોક્સિક વાતાવારણને કારણે...: રાતોરાત લાખો ફોલોઅર્સ ગુમાવ્યા બાદ રાઘવ ચઢ્ઢાનું 'Gen Z' ડેમેજ કંટ્રોલ
રાજકારણમાં ગ્લેમર અને યુવા પેઢીના પ્રતિનિધિ ગણાતા રાઘવ ચઢ્ઢાએ આખરે આમ આદમી પાર્ટી (AAP) છોડીને ભારતીય જનતા પાર્ટી (BJP) માં જોડાવા અંગે પોતાનું મૌન તોડ્યું છે. ઇન્સ્ટાગ્રામ પર એક કેન્ડિડ વીડિયો શેર કરીને તેમણે પક્ષ બદલવા પાછળના કારણો સ્પષ્ટ કર્યા છે. ચઢ્ઢાએ સીધો પ્રહાર કરતા કહ્યું કે, જે પાર્ટીમાં તેઓ જોડાયા હતા તે હવે સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. તેમણે વર્તમાન સ્થિતિને ટોક્સિક વર્ક એન્વાયરમેન્ટ ગણાવ્યું હતું. તેમણે આક્ષેપ કર્યો કે, હવે પાર્ટીમાં કામ કરતા અટકાવવામાં આવે છે અને સંસદમાં બોલવા પર પણ પાબંધી મૂકવામાં આવે છે.
ટોક્સિક વાતાવારણને કારણે...: રાતોરાત લાખો ફોલોઅર્સ ગુમાવ્યા બાદ રાઘવ ચઢ્ઢાનું 'Gen Z' ડેમેજ કંટ્રોલ
ભારતમાં ગરમીના તમામ રેકોર્ડ તૂટશે! વિજ્ઞાનીઓએ આપી 'ગોડઝિલા અલ-નીનો'ની ચેતવણી
ભારત હાલમાં વિશ્વનો સૌથી ગરમ દેશ છે, જ્યાં એપ્રિલ મહિનામાં જ તાપમાન 43 થી 47 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. ચોંકાવનારી વાત એ છે કે, વિશ્વના 100 સૌથી ગરમ શહેરોમાંથી 95 માત્ર ભારતમાં જ છે. ભારતીય હવામાન વિભાગના નકશામાં પણ દેશનો મોટાભાગનો હિસ્સો લાલ રંગમાં જોવા મળી રહ્યો છે. જે ગંભીર હીટવેવની સ્થિતિ દર્શાવે છે. ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જનને કારણે ગરમીની આ લહેર વધુ લાંબી અને ઘાતક બની રહી છે. વિજ્ઞાનિઓના મોડલ્સ ચેતવણી આપી રહ્યા છે કે, વર્ષ 2026માં સુપર અલ-નીનો અથવા ગોડઝિલા અલ-નીનો ત્રાટકી શકે છે.
ભારતમાં ગરમીના તમામ રેકોર્ડ તૂટશે! વિજ્ઞાનીઓએ આપી 'ગોડઝિલા અલ-નીનો'ની ચેતવણી
'ભાજપના કાર્યકરો આવીને કંઈ પણ કરી શકે...' છોટા ઉદેપુરમાં સ્ટ્રોંગ રૂમની બહાર કોંગ્રેસ કાર્યકરોનો લોખંડી પહેરો
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ હવે તેના અંતિમ પડાવ પર પહોંચ્યો છે. છોટા ઉદેપુર જિલ્લાની બેઠકો માટે મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે સૌની નજર મંગળવારે (28મી એપ્રિલ) થનારી મતગણતરી પર છે. જો કે, પરિણામો પહેલા જ રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ખાસ કરીને નસવાડી ખાતે કોંગ્રેસના કાર્યકરોએ EVMની સુરક્ષાને લઈને મોરચો સંભાળ્યો છે. કોંગ્રેસના અગ્રણી કાર્યકરોએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે, 'અમને ભાજપ પર જરા પણ વિશ્વાસ નથી. ભાજપના લોકો સત્તાનો દુરુપયોગ કરીને અધિકારીઓને ડરાવી-ધમકાવી શકે છે અને ગમે ત્યારે કંઈ પણ કરી શકે છે.'
'ભાજપના કાર્યકરો આવીને કંઈ પણ કરી શકે...' છોટા ઉદેપુરમાં સ્ટ્રોંગ રૂમની બહાર કોંગ્રેસ કાર્યકરોનો લોખંડી પહેરો
ગુજરાતમાં AAPને મોટો ઝટકો, પ્રદેશ ઉપાધ્યક્ષ સાગર રબારીનું રાજીનામું
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે AAPને વધુ એક જોરદાર ઝટકો લાગ્યો છે. પાર્ટીના વરિષ્ઠ નેતા અને પ્રદેશ ઉપાધ્યક્ષ સાગર રબારીએ પક્ષના તમામ હોદ્દાઓમાંથી મુક્ત થવાની જાહેરા કરી છે. થોડા સમય પહેલા જ રાજુ કરપડાએ પાર્ટી છોડ્યા બાદ, હવે સાગર રબારીના વિદાયથી ગુજરાતમાં AAPના સંગઠનમાં ગાબડું પડ્યું છે. સાગર રબારીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખ્યું કે, 'હું મારી AAP સાથેની યાત્રા આજે અહીં પૂરી કરું છું. પાર્ટીના સભ્યપદ, હોદ્દા અને જવાબદારીમાંથી મારી જાતને મુક્ત કરું છું. અત્યાર સુધીના સહયોગ બદલ તમામ સાથીઓનો હૃદયપૂર્વક આભાર માનું છું.'
ગુજરાતમાં AAPને મોટો ઝટકો, પ્રદેશ ઉપાધ્યક્ષ સાગર રબારીનું રાજીનામું
જસ્ટિસ વિરુદ્ધ કેજરીવાલનો 'સત્યાગ્રહ', કોર્ટમાં વકીલ પણ હાજર નહીં થાય
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માને એક અત્યંત ભાવુક અને આકરો પત્ર લખ્યો છે. કેજરીવાલે દુઃખી મન સાથે આ પત્રમાં જણાવ્યું છે કે, તેમને હવે જસ્ટિસ સ્વર્ણકાંતા શર્મા પાસેથી ન્યાય મળવાની કોઈ આશા રહી નથી. આથી, તેમણે મહાત્મા ગાંધીના માર્ગે ચાલીને 'સત્યાગ્રહ' કરવાનો નિર્ણય લીધો છે. કેજરીવાલે સ્પષ્ટ કર્યું છે કે તેઓ પોતે કે તેમના વકીલ હવેથી જસ્ટિસ શર્માની કોર્ટમાં કોઈ પણ સુનાવણી માટે હાજર થશે નહીં.
જસ્ટિસ વિરુદ્ધ કેજરીવાલનો 'સત્યાગ્રહ', કોર્ટમાં વકીલ પણ હાજર નહીં થાય
વિવિધ રાજકીય વિશ્લેષકો દ્વારા કાઢેલા તારણ મુજબ જામનગરના લાલપુર જિલ્લા પંચાયત નું પરિણામ
લાલપુર જિલ્લા પંચાયત સીટમાં ભાજપ અને આપ વચ્ચે ખૂબ જ રસાકસી જોવા મળશે હાર જીતનું અંતર પણ ખૂબ ઓછું હશે. વિવિધ તારણો મુજબ જિલ્લા પંચાયત માં ભાજપની જીત થવાની શક્યતા છે. તાલુકા પંચાયત વોર્ડ નંબર 1 માં પણ ખૂબ જ રસાકસી ભરેલો માહોલ છે જેમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટા ની ટક્કર મનાઈ રહી છે. તાલુકા પંચાયત વોર્ડ નંબર 2 માં ભાજપની જીત નિશ્ચિત મનાઈ રહી છે. તાલુકા પંચાયત વોર્ડ નંબર 3 માં AAP અને ભાજપ વચ્ચે ટક્કર છે જેમાં AAP બાજી મારશે એવી શક્યતા. તાલુકા પંચાયત વોર્ડ નંબર 4 માં AAP બાજી મારશે એવી શક્યતા છે.
વિવિધ રાજકીય વિશ્લેષકો દ્વારા કાઢેલા તારણ મુજબ જામનગરના લાલપુર જિલ્લા પંચાયત નું પરિણામ
શેરબજારની પોઝિટીવ શરૂઆત: સેન્સેક્સમાં ઉછાળો અને રોકાણકારોમાં આશાનું કિરણ.
એશિયન બજારોના સકારાત્મક સંકેતો વચ્ચે, ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી. રોકાણકારોને આશા છે કે US અને ઈરાન વચ્ચે તણાવ ઓછો થશે. ફાર્માસ્યુટિકલ, IT અને ઓટો શેરોમાં ખરીદીથી બજારને ટેકો મળ્યો. BSE સેન્સેક્સ 76,856 પોઈન્ટ પર ખુલ્યો, જ્યારે NSE નિફ્ટી-50 23,945 પર ખુલ્યો અને 24,000ને પાર કરી ગયો. એશિયન બજારોમાં પણ તેજી જોવા મળી, જેમાં નિક્કી 225 અને KOSPI નવા રેકોર્ડ સ્તરે પહોંચ્યા.
શેરબજારની પોઝિટીવ શરૂઆત: સેન્સેક્સમાં ઉછાળો અને રોકાણકારોમાં આશાનું કિરણ.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં મારામારી થતા કોંગ્રેસના ઉમેદવાર સહિત 4 લોકો સામે ફરિયાદ નોંધાઇ.
અમદાવાદના કુબેરનગર વોર્ડમાં AMC ઇલેક્શન દરમિયાન ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી થઈ હતી. V.V. તોમર સ્કૂલ ખાતે બોગસ મતદાનને લઈને વિવાદ થયો હતો. પોલીસે તાત્કાલિક બંદોબસ્ત ગોઠવી કોંગ્રેસના ઉમેદવાર નિકુલસિંહ તોમર સહિત 4 સામે FIR દાખલ કરી. ભાજપે નિકુલસિંહ પર બોગસ વોટિંગનો આરોપ લગાવ્યો હતો.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં મારામારી થતા કોંગ્રેસના ઉમેદવાર સહિત 4 લોકો સામે ફરિયાદ નોંધાઇ.
સુરત અલથાણા છેડતી કેસમાં AAPનું ષડયંત્ર?
સુરતમાં અલથાણા છેડતી કેસમાં AAPનું સ્ક્રિપ્ટેડ ષડયંત્ર અને BJP, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને બદનામ કરવાનું આયોજન હતું. ઓડિયો ક્લિપ વાયરલ થતા, AAPના મેહુલ ઉર્ફે રાવણની સંડોવણી બહાર આવી છે. પોલીસ તપાસમાં આ વાત સામે આવી. આ ઘટનામાં મુસ્લિમ સમાજને ભડકાવવાનો ખેલ થયો હોવાનું સ્પષ્ટ થઇ રહ્યું છે. હાલમાં પોલીસ મેહુલની તપાસ કરી રહી છે.
સુરત અલથાણા છેડતી કેસમાં AAPનું ષડયંત્ર?
બંગાળમાં PM રેલી પહેલા BJP અને TMC કાર્યકરો વચ્ચે અથડામણ.
પશ્ચિમ બંગાળમાં PM મોદીની રેલી પહેલા BJP અને TMC કાર્યકરો વચ્ચે અથડામણ થઈ. પથ્થરમારો, ફાયરિંગ અને બોમ્બ ફેંકાયા, જેમાં CISF જવાન સહિત 3 ઘાયલ થયા. BJPનો આરોપ છે કે રેલીના પોસ્ટરો ફાડવામાં આવ્યા. ભાટપારાના BJP ઉમેદવારના ઘરે બોમ્બ ફેંકાયો. અમિત શાહના રોડ શો અને મમતા બેનર્જીની રેલી પણ યોજાશે. આજે ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ છે અને બીજું મતદાન 29 એપ્રિલે થશે.
બંગાળમાં PM રેલી પહેલા BJP અને TMC કાર્યકરો વચ્ચે અથડામણ.
સાંસેદમાં ફરજ પરના સેવકનું હાર્ટ એટેકથી મોત, અસહ્ય ગરમી જવાબદાર.
પેટલાદના સાંસેદ ગામે બુથ નં. 1 પર ફરજ બજાવતા સેવક અમિત સોલંકીનું અસહ્ય ગરમીના કારણે heart attack આવતા મોત થયું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તેઓ બુથ પર ફરજ બજાવી રહ્યા હતા. બપોરે 12 વાગ્યા આસપાસ ગરમીથી ઢળી પડતા 108 દ્વારા તારાપુર દવાખાને ખસેડાયા, જ્યાં ડોક્ટરે મૃત જાહેર કર્યા.
સાંસેદમાં ફરજ પરના સેવકનું હાર્ટ એટેકથી મોત, અસહ્ય ગરમી જવાબદાર.
છોટાઉદેપુરના વરધીમાં વિરોધ: 'પહેલાં શાળાના ઓરડા, પછી વોટ'ના નારા સાથે મતદાન બહિષ્કાર!
તેજગઢના વરધી ગામે શાળાના ઓરડાના અભાવે ચૂંટણીમાં મતદાન બહિષ્કાર કરાયો. 'પહેલાં શાળાના ચાર ઓરડા બનાવો, પછી મત આપીશું' એવો ગ્રામજનોનો અડગ નિર્ણય હતો. તંત્રએ લેખિત બાંહેધરી આપ્યા બાદ મતદાન શરૂ થયું. છેલ્લાં ચાર વર્ષથી ક્લાસરૂમનું નિર્માણ મંજૂર હોવા છતાં કામ થયું નહોતું, જેના કારણે શિક્ષણને અસર થઈ રહી હતી.
છોટાઉદેપુરના વરધીમાં વિરોધ: 'પહેલાં શાળાના ઓરડા, પછી વોટ'ના નારા સાથે મતદાન બહિષ્કાર!
નવવધૂઓએ લગ્ન પહેલાં મતદાન કર્યું: ભવ્યાબેન અને વનિતાબેને લોકશાહી ફરજ બજાવી.
દાહોદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં, ભવ્યાબેન અને વનિતાબેને લગ્ન વિધિઓ વચ્ચે મતદાન કર્યું. ભવ્યાબેને સોળ શણગાર સજીને મતદાન મથકે જઈ ફરજ બજાવી. ડોલરીયામાં વનિતાબેને મંગળ ફેરા પહેલા મતદાન કર્યું, જે લોકશાહી પ્રત્યેની નિષ્ઠા દર્શાવે છે. આ બંને કિસ્સાઓ પ્રેરણાદાયક છે અને નાગરિક તરીકેની ફરજનું મહત્વ સમજાવે છે, જે democracy માટે ઉત્તમ ઉદાહરણ છે.
નવવધૂઓએ લગ્ન પહેલાં મતદાન કર્યું: ભવ્યાબેન અને વનિતાબેને લોકશાહી ફરજ બજાવી.
SIRની અસર: મતદારો ઘટ્યા છતાં મતદાન ટકાવારી વધી.
પંચમહાલ, દાહોદ, મહિસાગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી શાંતિપૂર્ણ રહી. SIR કામગીરીમાં મતદારો ઘટ્યા છતાં, પંચમહાલમાં ૬% અને દાહોદમાં ૩.૫૬% મતદાન વધ્યું. દાહોદમાં ૨.૭૦ લાખ મતદારો ઘટ્યા છતાં મતદાન વધ્યું. ગોધરામાં 43°C તાપમાનમાં પણ મતદાન ઉત્સાહથી થયું. દાહોદ નગરપાલિકામાં 42.2°C 'heatwave' હોવા છતાં 7.04% મતદાન વધ્યું, જે ઉત્સાહ દર્શાવે છે.
SIRની અસર: મતદારો ઘટ્યા છતાં મતદાન ટકાવારી વધી.
જામણીયામાં સુવિધાના અભાવે ગ્રામજનોનો ચૂંટણી બહિષ્કાર.
ભરૂચના જામણીયા ગામે પ્રાથમિક સુવિધાઓના અભાવે ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો. 'વિકાસ નહીં તો મત નહીં'નો નારો આપ્યો. ગામને જોડતા રસ્તાઓ બિસ્માર હોવાથી ચોમાસામાં હાલાકી પડે છે. પીવાનું પાણી, આરોગ્ય, વીજળી જેવી સુવિધાઓ પણ નથી. વર્ષોથી રસ્તાની મરામત થઈ નથી. આથી, ગ્રામજનોએ મતદાનથી દૂર રહેવાનો નિર્ણય કર્યો, જેના કારણે 26 એપ્રિલે જામણીયામાં મતદાન થયું નહીં.
જામણીયામાં સુવિધાના અભાવે ગ્રામજનોનો ચૂંટણી બહિષ્કાર.
વાલિયાના કેસરગામના 350થી વધુ મતદારોએ માંગ સંતોષાતા મતદાન બહિષ્કારનો નિર્ણય મોકૂફ રાખ્યો, જે 2021થી ચાલતો હતો.
ભરૂચના કેસર ગામના લોકોએ 2021થી માંગણીઓ માટે ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો, કારણ કે કેસર ગામથી ઇટકલાને જોડતો પુલ નહોતો. વર્ષ 2026 માં પુલનું કામ શરૂ થતાં, ગામલોકોએ વર્ષો બાદ મતદાન કર્યું, કારણ કે તેઓ રોજિંદી જરૂરિયાત માટે ઈટકલા પર નિર્ભર છે. આ પુલથી 400 મીટરનું અંતર 20 km થતું હતું તે ઘટશે.
વાલિયાના કેસરગામના 350થી વધુ મતદારોએ માંગ સંતોષાતા મતદાન બહિષ્કારનો નિર્ણય મોકૂફ રાખ્યો, જે 2021થી ચાલતો હતો.
બિહારમાં આંધી-તોફાન અને વીજળી પડવાથી ભારે તબાહી, 4 લોકોના મોત.
બિહારમાં અચાનક આવેલા આંધી-તોફાને ભારે તબાહી મચાવી. પવનની ગતિ 100 kmph સુધી પહોંચી, ઝાડ ઉખડી ગયા અને ટ્રાફિક જામ થયો. અનેક ઘરોના શેડ ઊડી ગયા. વીજળી પડવાથી 4 લોકોના મોત થયા. કટિહારમાં ત્રણ અને પૂર્ણિયામાં એક વ્યક્તિનું મોત થયું. સ્થાનિક પ્રશાસને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી છે. IMD એ એલર્ટ આપ્યું હતું.
બિહારમાં આંધી-તોફાન અને વીજળી પડવાથી ભારે તબાહી, 4 લોકોના મોત.
ડાંગ જિલ્લા પંચાયત ચૂંટણી: 5 વાગ્યા સુધીમાં 77.17 ટકા મતદાન થયું.
ડાંગ જિલ્લા પંચાયતની 18 અને ત્રણ તાલુકા પંચાયતોની 47 બેઠકો માટે મતદાન થયું, જેમાં કુલ 116 ઉમેદવારો હતા. જિલ્લામાં કુલ 1,93,588 મતદારોમાંથી 1,45,342 મતદારોએ 77.17 ટકા મતદાન કર્યું. આહવામાં 74.35 ટકા, વઘઇમાં 81.97 ટકા અને સુબીરમાં 76.08 ટકા મતદાન નોંધાયું. Highest મતદાન બરડા બેઠક પર 80.02 ટકા અને lowest આહવા-1 બેઠક ઉપર 53.49 ટકા નોંધાયું છે. Results 28 એપ્રિલે આવશે.
ડાંગ જિલ્લા પંચાયત ચૂંટણી: 5 વાગ્યા સુધીમાં 77.17 ટકા મતદાન થયું.
નવસારી વોર્ડ-13માં 'લાફા કાંડ'થી ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો આમને સામને આવતા રાજકારણમાં ગરમાવો.
નવસારીના વોર્ડ-13માં ચૂંટણી સમયે ભાજપ અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે ‘લાફા કાંડ’ થતા ચકચાર મચી ગઈ છે. કોંગ્રેસના ઉમેદવારની પુત્રી પર ભાજપના બુથ એજન્ટે ટિપ્પણી કરતા મામલો બીચક્યો હતો. ત્યારબાદ કોંગ્રેસના ઉમેદવાર અને ભાજપના મહિલા ઉમેદવારના સસરા વચ્ચે લાફા મારવામાં આવતા ભારે હોબાળો મચ્યો હતો. DYSP એ ઘટનાસ્થળે પહોંચી મામલો શાંત પાડ્યો, પરંતુ બન્ને પક્ષોએ પોલીસ ફરિયાદ કરતા રાજકારણ ગરમાયું છે.
નવસારી વોર્ડ-13માં 'લાફા કાંડ'થી ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો આમને સામને આવતા રાજકારણમાં ગરમાવો.
નવસારીમાં ઉમેદવારના ફોટા બદલાયા, મતદારો અકળાયા.
નવસારી વોર્ડ નંબર-13ની ચૂંટણીમાં BJPની પ્રચાર સ્લીપમાં છબરડો થયો. માધવીબેનના બદલે મીનલબેનનો ફોટો છપાતા મતદારો ગુસ્સે થયા. મતદારોએ કહ્યું કે તેઓએ ફોટો જોઈને મત આપ્યો છે, એટલે સમસ્યા થશે તો મીનલબેન અને સાજનભાઈ પાસે જશે. આ ઘટના "Talk of the Town" બની છે અને સંગઠનની કામગીરી પર સવાલ ઉઠાવે છે.