ભાવનગર લઠ્ઠાકાંડ મુદ્દે નીતિન પટેલનું નિવેદન, ‘સરકાર અને પોલીસ સતત કાળજી રાખે છે’
ભાવનગર લઠ્ઠાકાંડ મુદ્દે નીતિન પટેલનું નિવેદન, ‘સરકાર અને પોલીસ સતત કાળજી રાખે છે’
Published on: 24th August, 2026

ભાવનગરના લઠ્ઠાકાંડ મુદ્દે પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે રાજ્યમાં ગેરકાયદે દારૂ અને નશીલા પદાર્થો સામે સરકાર અને પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે. તેમ છતાં, કેટલાક લોકો કેફી પીણું ગમે ત્યાંથી મેળવી લેતા હોય છે. સરકારી આવક કરતાં યુવાનોની સલામતી અને ભવિષ્યને વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે. ‘ગાંધી અને સરદારના ગુજરાતમાં દારૂબંધી રહેવી જ જોઈએ’ તેમ કહી તેમણે દારૂબંધીના સમર્થનમાં મત વ્યક્ત કર્યો.