લાલ કિલ્લા પરથી મોદીની દેશવાસીઓને ચેતવણી!
લાલ કિલ્લા પરથી મોદીની દેશવાસીઓને ચેતવણી!
Published on: 17th August, 2026

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૮૦માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે લાલ કિલ્લા પરથી સંબોધન કરતા દેશવાસીઓને "દિમાગી નક્સલો" સામે સાવધાન રહેવાની ચેતવણી આપી. તેમણે કહ્યું કે સશસ્ત્ર માઓવાદીઓનો સફાયો થયો છે, પરંતુ આ "દિમાગી નક્સલો" રાષ્ટ્રીય નીતિઓને અસર પહોંચાડી શકે છે. આ ઉપરાંત, વડાપ્રધાને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ, એક કરોડ યુવાનોને Artificial Intelligence (AI)ની તાલીમ અને રમતગમતમાં નેશનલ ટેલેન્ટ હન્ટ શરૂ કરવાની જાહેરાત કરી. ભારતને AI, ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ જેવા ક્ષેત્રોમાં વૈશ્વિક હબ બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.