બિહારના અશોકધામ મંદિરમાં કરંટની અફવા બાદ નાસભાગ, 7 શ્રદ્ધાળુના કરૂણ મોત
બિહારના અશોકધામ મંદિરમાં કરંટની અફવા બાદ નાસભાગ, 7 શ્રદ્ધાળુના કરૂણ મોત
Published on: 17th August, 2026

બિહારના લખીસરાય સ્થિત અશોકધામ મંદિરમાં શ્રાવણ મહિનામાં કરંટ ફેલાવાની અફવાને કારણે નાસભાગ મચી ગઈ. આ દુર્ઘટનામાં 7 શ્રદ્ધાળુઓના મોત થયા છે અને 8 થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. રવિવારે રાત્રે રેલ્વે સ્ટેશન નજીક વીજળીનો થાંભલો પડી જતાં આ અફવા ફેલાઈ હતી. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જલાભિષેક માટે ઉમટી પડ્યા હતા, ત્યારે અફવાને કારણે ભયનો માહોલ સર્જાયો અને લોકો જીવ બચાવવા દોડ્યા. નાસભાગમાં અનેક શ્રદ્ધાળુઓ એકબીજાના પગ નીચે કચડાઈ ગયા. પોલીસે રાહત કામગીરી શરૂ કરી.