PM મોદીનો લાલ કિલ્લા પરથી 2047 સુધી વિકસિત ભારતનો સંકલ્પ: "હવે નાના સપના નહીં ચાલે"
PM મોદીનો લાલ કિલ્લા પરથી 2047 સુધી વિકસિત ભારતનો સંકલ્પ: "હવે નાના સપના નહીં ચાલે"
Published on: 15th August, 2026

80માં સ્વતંત્રતા દિવસે PM મોદીએ લાલ કિલ્લા પરથી દેશવાસીઓને સંબોધતા કહ્યું કે, "હવે નાના સપના નહીં ચાલે, આપણે મોટા સપના જોવા પડશે." તેમણે 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના લક્ષ્ય પર ભાર મૂક્યો. છેલ્લા 12 વર્ષમાં ડિફેન્સ ઉત્પાદન, ખાદી, ઈલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ અને ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં થયેલા નોંધપાત્ર વધારાની વાત કરી. આત્મનિર્ભરતા, ઊર્જા, ટેક્નોલોજી તથા રાષ્ટ્રીય ક્ષમતાઓને વધુ મજબૂત કરવાની જરૂરિયાત પર તેમણે ભાર મૂક્યો.