વાડી-પાણીગેટ વિસ્તારમાં રખડતા શ્વાનોનો ત્રાસ વધ્યો
વાડી-પાણીગેટ વિસ્તારમાં રખડતા શ્વાનોનો ત્રાસ વધ્યો
Published on: 03rd September, 2026

વાડી સ્વામિનારાયણ મંદિર, પાણીગેટ અને હરણખાના રોડ વિસ્તારમાં રખડતા શ્વાનોનો ત્રાસ ચિંતાજનક રીતે વધી ગયો છે. સ્થાનિકો અને બાળકોને શ્વાનો દ્વારા બચકા ભરવાના બનાવો બની રહ્યા છે, જેના કારણે ભયનો માહોલ છે. 40થી વધુ ઓનલાઈન ફરિયાદો છતાં તંત્ર દ્વારા અસરકારક કાર્યવાહી ન થતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સામાજિક કાર્યકરોના જણાવ્યા મુજબ, મંદિરમાં આવતા ભક્તો, મદરેસા અને શાળામાં જતા બાળકો પણ શ્વાનોના શિકાર બની રહ્યા છે. નાના બાળકોથી વૃદ્ધો સૌ કોઈમાં ગભરાટ છે. તંત્ર માત્ર દેખાડા પૂરતી કાર્યવાહી કરે છે, જેથી સમસ્યાનો કાયમી ઉકેલ આવતો નથી.