કોંગ્રેસમાં શશિ થરૂર અને પવન ખેડા વચ્ચે PM મોદીના વખાણ મુદ્દે આંતરિક મતભેદ
કોંગ્રેસમાં શશિ થરૂર અને પવન ખેડા વચ્ચે PM મોદીના વખાણ મુદ્દે આંતરિક મતભેદ
Published on: 21st June, 2026

કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફરી વખાણ કરતા પાર્ટીમાં આંતરિક વિવાદ સર્જાયો છે. G7 સંમેલનમાં PM મોદીએ ભારતીય નાવિકોની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો હતો, જેના સમર્થનમાં થરૂરે વડાપ્રધાનના પ્રયાસોની પ્રશંસા કરી હતી. આના પર કોંગ્રેસ નેતા પવન ખેડાએ આકરા પ્રતિક્રિયા આપતા કહ્યું કે, થરૂર એવી વાતો સાંભળી લે છે જે મોદીએ કહી પણ નથી. ખેડાએ કટાક્ષ કર્યો કે થરૂર પીએમ મોદીની એવી કૂટનીતિ સાંભળી રહ્યા છે જે સત્તાવાર રેકોર્ડમાં નથી. થરૂરે વળતો જવાબ આપતા કહ્યું કે, તેઓ મીડિયા રિપોર્ટ્સના આધારે બોલ્યા છે અને પોતાના નિવેદન પર કાયમ રહેશે.