TMC પાર્ટી અંધકારમાં? 50 MLA અને 20 MP પક્ષપલટાની તૈયારીમાં હોવાનો BJP નેતાનો દાવો
TMC પાર્ટી અંધકારમાં? 50 MLA અને 20 MP પક્ષપલટાની તૈયારીમાં હોવાનો BJP નેતાનો દાવો
Published on: 27th May, 2026

પશ્ચિમ બંગાળમાં કારમી હાર બાદ TMC માં આંતરિક અસંતોષ વધ્યો છે. BJP નેતા સૌમિત્ર ખાને દાવો કર્યો છે કે TMC ના 50 ધારાસભ્યો અને 20 સાંસદો નારાજ છે અને ભાજપમાં જોડાવા તૈયાર છે. જો ભાજપ હાઈકમાન્ડ લીલી ઝંડી આપે તો TMC નામની પાર્ટી નહીં બચે, તેમ તેમણે જણાવ્યું. તેમણે અભિષેક બેનર્જી પર પણ નિશાન સાધ્યું. જોકે, TMC એ આ દાવાને ખોટા ગણાવી અફવા ગણાવી છે.