કર્ણાટકના CM સિદ્ધારમૈયા આવતીકાલે રાજીનામું આપી શકે.
કર્ણાટકના CM સિદ્ધારમૈયા આવતીકાલે રાજીનામું આપી શકે.
Published on: 27th May, 2026

કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા આવતીકાલે રાજીનામું આપી શકે છે, જે બાદ નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારને મુખ્યમંત્રી બનાવવાની શક્યતા છે. દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી સાથે થયેલી લાંબી બેઠક બાદ આ નિર્ણય લેવાયો હોવાનું મનાય છે. સૂત્રોના જણાવ્યા મુજબ, રાહુલ ગાંધીએ સિદ્ધારમૈયાને પદ છોડવા અને રાજ્યસભામાં મોટી ભૂમિકા ભજવવાની ઓફર આપી છે. સિદ્ધારમૈયાએ આ પ્રસ્તાવ પર વિચાર કરવા સમય માંગ્યો છે, પરંતુ ગુરુવારે સવારે મંત્રીઓ સાથે બ્રેકફાસ્ટ મીટિંગ બોલાવી છે, જે સંભવિત રાજીનામાનો સંકેત આપે છે. જોકે, કોંગ્રેસના સંગઠન મહાસચિવ વેણુગોપાલે અટકળોને માત્ર અટકળો ગણાવી છે.