રામ મંદિર ચઢાવો ગાયબ: અખિલેશ યાદવનો ગંભીર આરોપ, ટ્રસ્ટનો પલટવાર
રામ મંદિર ચઢાવો ગાયબ: અખિલેશ યાદવનો ગંભીર આરોપ, ટ્રસ્ટનો પલટવાર
Published on: 07th June, 2026

ઉત્તર પ્રદેશના રાજકારણમાં અયોધ્યાના રામ મંદિરને લઈને ફરી એકવાર ચર્ચા શરૂ થઈ છે. સમાજવાદી પાર્ટી (SP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે રામ મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા અર્પણ કરાયેલા ચઢાવામાંથી કરોડો રૂપિયા ગાયબ હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. આ આરોપો પર શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય મહંત દિનેન્દ્ર દાસે તેમને પાયાવિહોણા ગણાવીને આકરો પ્રત્યુત્તર આપ્યો છે. તેમણે જણાવ્યું કે ટ્રસ્ટમાં દરેક નાણાકીય વ્યવહારનો લેખિત હિસાબ રાખવામાં આવે છે અને તમામ વ્યવહારો પારદર્શક રીતે ચાલી રહ્યા છે.