અંકલેશ્વરમાં ડી.એ.આણંદપુરા વિચાર મંચની પ્રથમ બેઠક
અંકલેશ્વરમાં ડી.એ.આણંદપુરા વિચાર મંચની પ્રથમ બેઠક
Published on: 21st August, 2026

અંકલેશ્વરમાં જીઆઈડીસી સ્થિત સંસ્કારદીપ વિદ્યાલય ખાતે ડી. એ. આણંદપુરા વિચાર મંચની પ્રથમ વિચાર મંથન બેઠક યોજાઈ. આ મંચનો ઉદ્દેશ્ય સમાજોપયોગી કાર્યોને આગળ ધપાવવાનો છે. બેઠકમાં ઔદ્યોગિક વિકાસની સાથે સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવાની જરૂરિયાત પર ચર્ચા થઈ. ભવિષ્યમાં સમાજહિત, સદવિચાર, શિક્ષણ, ઔદ્યોગિક વિકાસ અને માનવકલ્યાણને લગતા વિવિધ વિષયો પર વિચાર મંથન અને પ્રવૃત્તિઓ હાથ ધરવાનો સંકલ્પ લેવાયો. દર મહિને ખ્યાતનામ વકતાઓ સાથે બેઠક યોજાશે.