Menu
ભ્રષ્ટાચાર ખતમ કરવા માટે NDAના નેતા ચંદ્રબાબુ નાયડુની રૂ.500ની નોટ બંધ કરવાની માંગ
ભ્રષ્ટાચાર ખતમ કરવા માટે NDAના નેતા ચંદ્રબાબુ નાયડુની રૂ.500ની નોટ બંધ કરવાની માંગ
Published on: 10th June, 2025

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ ભ્રષ્ટાચાર સામે લડવા માટે રૂ.500 સહિત મોટી ચલણી નોટો પર પ્રતિબંધ કરવાની માગ કરી છે. તેમણે જણાવ્યું કે મોટાભાગની મોટી ચલણી નોટો બંધ કરવી જોઈએ, ખાસ કરીને રૂ.500ની નોટ સંપૂર્ણપણે બંધ કરવી જરૂરી છે. નોટોના આ પ્રકારના પ્રતિબંધથી જ ભ્રષ્ટાચાર પર કાબૂ મેળવી શકાય. નાયડુએ કહ્યું કે રૂપિયાનું ચલણ ફક્ત 100 અને 200 રૂપિયાની નોટો સુધી મર્યાદિત હોવું જોઈએ, જેથી ભ્રષ્ટાચાર નાબૂદ થઈ શકે.