શું ટેક્સમાં રાહત, NPS અને શેરબજારના રોકાણકારો માટે બજેટમાં સંકેતો?
શું ટેક્સમાં રાહત, NPS અને શેરબજારના રોકાણકારો માટે બજેટમાં સંકેતો?
Published on: 01st February, 2026

નાણામંત્રી નિર્મલા સીતારમણ Union Budget 2026 રજૂ કરશે, જેમાં મધ્યમ વર્ગ, ખેડૂતો અને વેપારીઓની નજર ટેક્સ રાહતો પર રહેશે. Income Tax માં મોટી રાહતની શક્યતા ઓછી છે, પરંતુ NPS આકર્ષક બની શકે છે. શેરબજારમાં સ્થિરતા માટે LTCG અને STT પર સરકાર નિર્ણય લઈ શકે છે. રેલ્વેમાં નવી ટ્રેનો અને 'કવચ 4.0' માટે બજેટ ફાળવણી થઈ શકે છે. 'આત્મનિર્ભર ભારત' હેઠળ AI અને સંરક્ષણ ક્ષેત્રે પણ જાહેરાતો શક્ય છે. PLI સ્કીમથી ગેજેટ્સ સસ્તા થઈ શકે છે.