જન્માષ્ટમી, રક્ષાબંધન પહેલાં ખાદ્યતેલના ભાવમાં મોટો ઉછાળો
જન્માષ્ટમી, રક્ષાબંધન પહેલાં ખાદ્યતેલના ભાવમાં મોટો ઉછાળો
Published on: 11th August, 2026

આગામી રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારો પહેલા જ સ્થાનિક બજારમાં ખાદ્યતેલના ભાવમાં મોટો વધારો નોંધાયો છે. છેલ્લા ત્રણ દિવસમાં માગ વધવાના કારણે સિંગતેલના ડબ્બે ₹45 અને કપાસિયા તેલના ડબ્બે ₹35નો ઉછાળો આવ્યો છે. મગફળીનો પૂરતો જથ્થો હોવા છતાં વેપારીઓ અને મિલો દ્વારા ભાવ વધારી દેવાતા સામાન્ય જનતા પર આર્થિક બોજ વધ્યો છે. તહેવારો નજીક હોવા છતાં અચાનક થયેલા આ ભાવવધારાને કારણે સ્થાનિક છૂટક બજારમાં સામાન્ય ગ્રાહકોની ખરીદી પર ભારે અસર પડી છે.