8મું પગાર પંચને લઈને કેમ ટેન્શનમાં આવી ગયા 69 લાખ પેન્શનર્સ?
8મું પગાર પંચને લઈને કેમ ટેન્શનમાં આવી ગયા 69 લાખ પેન્શનર્સ?
Published on: 10th September, 2026

8મા પગાર પંચને લઈને 69 લાખ પેન્શનર્સ અને ફેમિલી પેન્શનર્સમાં અસમંજસ છે, ખાસ કરીને 1 જાન્યુઆરી 2026 પહેલા નિવૃત્ત થયેલા લોકો માટે. નિયમોમાં સ્પષ્ટતાના અભાવે તેમની ચિંતા વધી ગઈ છે. રિટાયર્ડ એમ્પ્લોઈઝ વેલફેર એસોસિએશન (REWA) એ PM મોદીને પત્ર લખીને 8મા પગાર પંચના Terms of Reference (ToR) માં ફેરફાર કરી તેમાં સ્પષ્ટપણે સમાવેશ કરવાની માંગ કરી છે. આ પત્રનો હેતુ જૂના પેન્શનર્સને પણ પેન્શન રિવીઝનના લાભો મળે તે સુનિશ્ચિત કરવાનો છે, જે અગાઉના પગાર પંચોમાં સ્પષ્ટ હતું.