કોણાર્કનું પ્રાચીન સૂર્યમંદિર: સૂર્યદેવને સમર્પિત, યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ
કોણાર્કનું પ્રાચીન સૂર્યમંદિર: સૂર્યદેવને સમર્પિત, યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ
Published on: 20th June, 2026

ઓરિસ્સામાં આવેલું કોણાર્કનું સૂર્યમંદિર, જે સૂર્યદેવને સમર્પિત છે, તે ભારતના પ્રાચીન અને મુખ્ય મંદિરોમાંનું એક છે. ‘કોણ’ એટલે ખૂણો અને ‘અર્ક’ એટલે સૂર્ય. આ મંદિરને 'બ્લેક પેગોડા' તરીકે પણ ઓળખાય છે. 13મી સદીમાં રાજા નરસિંહદેવ પ્રથમ દ્વારા નિર્મિત આ મંદિર, પૌરાણિક કથા અનુસાર ભગવાન કૃષ્ણના પુત્ર સામ્બા દ્વારા સૂર્યદેવને પ્રસન્ન કરવાના સ્થળે બાંધવામાં આવ્યું હતું. 1984માં યુનેસ્કો દ્વારા તેને વિશ્વ ધરોહર સ્થળ તરીકે માન્યતા મળી. કલાત્મક ભવ્યતા અને એન્જિનિયરિંગનો ઉત્તમ નમૂનો, આ મંદિર સૂર્ય દેવતાના રથ સ્વરૂપે નિર્મિત છે.