આધાર કાર્ડમાં નામ, જન્મતારીખ, સરનામું કેટલી વાર અપડેટ થાય?
આધાર કાર્ડમાં નામ, જન્મતારીખ, સરનામું કેટલી વાર અપડેટ થાય?
Published on: 01st September, 2026

આધાર કાર્ડ આપણા દૈનિક જીવનનો એક અભિન્ન ભાગ બની ગયું છે. ઓળખપત્રથી લઈને સરકારી યોજનાઓ અને બેન્કિંગ સુધી, તેની જરૂર પડે છે. તેથી, આધારમાં નોંધાયેલી વિગતો હંમેશા સાચી અને અપડેટ રહેવી જરૂરી છે. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) ના નિયમો મુજબ, કેટલીક વિગતોને અપડેટ કરવાની ચોક્કસ મર્યાદા નક્કી કરાઈ છે. ઘરનું સરનામું ગમે તેટલી વાર બદલી શકાય છે, પરંતુ નામ ફક્ત બે વાર અને જન્મતારીખ માત્ર એક જ વાર સુધારી શકાય છે. મોબાઈલ નંબર અને ઈ-મેઈલ આઈડી માટે કોઈ મર્યાદા નથી.