પોલિયોને હરાવી વિશ્વ ક્રિકેટ પર રાજ કરનાર ભારતના ચમત્કારી સ્પિનર ચંદ્રશેખર
પોલિયોને હરાવી વિશ્વ ક્રિકેટ પર રાજ કરનાર ભારતના ચમત્કારી સ્પિનર ચંદ્રશેખર
Published on: 11th July, 2026

ભાગવત સુબ્રમણ્ય ચંદ્રશેખર, એક એવા ખેલાડી જે માત્ર ક્રિકેટના મેદાન પર જ નહીં, પરંતુ હિંમત અને અદ્ભુત વિજયની અજોડ ગાથા છે. માત્ર 6 વર્ષની ઉંમરે પોલિયોનો ભોગ બન્યા બાદ, તેમણે પોતાના નબળા હાથને જ તાકાત બનાવી. મધ્યમ ગતિના બોલર તરીકે, તેઓ ઝડપી લેગ-સ્પિન, ગુગલી અને ટોપ-સ્પિન ફેંકતા, જે વિશ્વના મહાન બેટ્સમેનો માટે પણ અણધાર્યા સાબિત થતા. 58 ટેસ્ટ મેચમાં 242 વિકેટ સાથે, ચંદ્રશેખર ભારતીય ક્રિકેટના સુવર્ણ ક્ષણોના અસલી હીરો રહ્યા.