લોકો સાથે વેર ન બાંધવું એ પણ એક અસરકારક લીડરશિપ સ્ટ્રેટેજી છે
લોકો સાથે વેર ન બાંધવું એ પણ એક અસરકારક લીડરશિપ સ્ટ્રેટેજી છે
Published on: 08th July, 2026

મહાભારતના શાંતિપર્વમાંથી શીખવા મળતો ભીષ્મનો લીડરશિપ અને મેનેજમેન્ટનો ઉપદેશ આધુનિક સમયમાં પણ એટલો જ પ્રસ્તુત છે. ભીષ્મ સમજાવે છે કે કોઈપણ લીડરે નાના પ્રતિસ્પર્ધીઓ કે ના ગમતા માણસો સાથે વેર બાંધવું જોઈએ નહીં. વ્યવસાય, રાજકારણ કે સામાજિક જીવનમાં પડકારો આવવાના જ છે, પરંતુ સાચો લીડર એ જ છે જે કઈ લડાઈ લડવી અને કઈ નજરઅંદાજ કરવી તે જાણે. વેર એક દવ સમાન છે જે લીડરની ઊર્જા અને ક્ષમતાને ખતમ કરે છે, અને પેઢી દર પેઢી વિનાશનું કારણ બની શકે છે.