Menu
 કેનેડા વિઝાના નવા નિયમો: ભારતીય વિદ્યાર્થીઓ માટે શું છે અસર?
કેનેડા વિઝાના નવા નિયમો: ભારતીય વિદ્યાર્થીઓ માટે શું છે અસર?
Published on: 05th May, 2025

કેનેડા સરકારે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે 1 મે 2025 થી નવા કડક નિયમો લાગુ કર્યા છે. હવે વિદેશી વિદ્યાર્થીઓ નવી શૈક્ષણિક સંસ્થા માં ટ્રાન્સફર કરવા માટે નવી સ્ટડી પરમિટ મેળવવી ફરજિયાત રહેશે. અગાઉ, વિદ્યાર્થીઓ IRCC પોર્ટલ પર મથકી માહિતી અપડેટ કરીને શાળા બદલી શકતા હતા. હવે નવી પરમિટ વગર શાળા બદલવાથી સ્ટડી પરમિટ રદ્દ થઈ શકે છે અને વિદ્યાર્થીઓને કેનેડા છોડવું પડી શકે છે. 2024માં કેનેડામાં 6 લાખથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ છે, પરંતુ 2023-24માં 41% નો ઘટાડો નોંધાયો છે. આ નિયમ વિઝા સિસ્ટમમાં પારદર્શિતા વધારવાને લઈને લાગૂ કરવામાં આવ્યો છે.