'કાળા સમુદ્રમાં સ્થિતિ વણસી અને ભારત અમારી સાથે વાત નથી કરતું...', યુક્રેનનો વળતો આરોપ
'કાળા સમુદ્રમાં સ્થિતિ વણસી અને ભારત અમારી સાથે વાત નથી કરતું...', યુક્રેનનો વળતો આરોપ
Published on: 30th July, 2026

યુક્રેનના ચોર્નોમોર્સ્ક બંદર પર 'MV AMIR1' જહાજમાં 13 ભારતીય નાવિકો રશિયાના મિસાઈલ અને ડ્રોન હુમલાઓને કારણે ફસાયેલા છે. આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે યુક્રેને ભારતની દરિયાઈ સુરક્ષા એડવાઈઝરી અને વિદેશ મંત્રાલયના વલણ પર સવાલો ઉઠાવ્યા છે. યુક્રેનના વિદેશ મંત્રી એન્ડ્રી સિબિહા ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે ચર્ચા કરવા ઈચ્છે છે, પરંતુ ભારત તરફથી પ્રતિભાવ નથી મળ્યો. નવી દિલ્હી સ્થિત યુક્રેની દૂતાવાસે બે અલગ-અલગ એડવાઈઝરી પર વાંધો ઉઠાવ્યો છે, જે સુરક્ષાના પગલાંના ભેદભાવ દર્શાવે છે.