ઉત્તરાખંડમાં આદિ કૈલાસ યાત્રાનો શુભારંભ.
ઉત્તરાખંડના પિથોરાગઢમાં શિવ-પાર્વતી મંદિરના કપાટ ખુલ્યા, આદિ કૈલાસ યાત્રાનો શુભારંભ. 200થી વધુ શ્રદ્ધાળુઓ માઇનસ 1 ડિગ્રી તાપમાનમાં રવાના થયા. યાત્રા 5-7 દિવસમાં પૂરી થાય છે, ખર્ચ 25 હજારથી 1 લાખ રૂપિયા. PMના પ્રવાસ બાદ આકર્ષણ વધ્યું, સરહદી ગામોમાં આર્થિક બદલાવ.
ઉત્તરાખંડમાં આદિ કૈલાસ યાત્રાનો શુભારંભ.
અમેરિકાએ ભારતને પરત કરી 657 પ્રાચીન મૂર્તિઓ.
અમેરિકાએ ભારતને અંદાજે 120 કરોડ રૂપિયાથી($14 મિલિયન) પણ વધુની કિંમતની 657 જેટલી દુર્લભ અને પ્રાચીન મૂર્તિઓ પરત કરી છે. આ અમૂલ્ય વારસો સુભાષ કપૂર અને નેન્સી વીનર જેવા આંતરરાષ્ટ્રીય તસ્કર ગીરોહો દ્વારા ભારતમાંથી ચોરી કરીને અમેરિકા લઈ જવામાં આવ્યો હતો. ન્યૂયોર્કના મેનહટન ડિસ્ટ્રિક્ટ એટર્ની એલ્વિન બ્રૈગ અને ભારતીય કોન્સ્યુલ જનરલ રાજલક્ષ્મી કદમની હાજરીમાં આ મૂર્તિઓ સોંપવા માટે એક વિશેષ સમારોહ યોજાયો હતો.
અમેરિકાએ ભારતને પરત કરી 657 પ્રાચીન મૂર્તિઓ.
'અમારું સોનું પાછું આપો', ભારત રાતોરાત કેમ પાછું લાવી રહ્યું છે પોતાનું સોનું?
ભારતીય રિઝર્વ બેન્કે(RBI) વિદેશમાંથી સોનું પરત લાવવાની પ્રક્રિયાને નોંધપાત્ર રીતે ઝડપી બનાવી છે. ઓક્ટોબર 2025થી માર્ચ 2026ના રિપોર્ટ અનુસાર, ભારતના કુલ 880.52 ટન સોનામાંથી હવે અંદાજે 77% એટલે કે 680 ટન સોનું દેશની અંદર જ રાખવામાં આવ્યું છે. જ્યારે 197.67 ટન સોનું હજુ પણ બેન્ક ઓફ ઇંગ્લેન્ડ અને બેન્ક ઓફ ઇન્ટરનેશનલ સેટલમેન્ટ્સ પાસે છે અને 2.8 ટન સોનું ડિપોઝિટ તરીકે રાખેલું છે. છેલ્લા માત્ર 6 મહિનામાં જ RBI દ્વારા 104.23 ટન સોનું ભારત પરત મંગાવી લેવામાં આવ્યું છે. માર્ચ 2023માં ભારત પાસે માત્ર 37% સોનું દેશમાં હતું, જે હવે વધીને 77% થઈ ગયું છે.
'અમારું સોનું પાછું આપો', ભારત રાતોરાત કેમ પાછું લાવી રહ્યું છે પોતાનું સોનું?
રાજકોટ લાયન સફારી પાર્કનું લોકાર્પણ ફરી મોડું, વેકેશનમાં પ્રવાસીઓ નિરાશ.
રાજકોટનું લાયન સફારી પાર્ક જુલાઈના અંત સુધીમાં ખુલવાની શક્યતા ઓછી છે. વહીવટી પ્રક્રિયા અને બાંધકામના બાકી બે ફેઝ (તબક્કા) ને કારણે ઉનાળુ વેકેશનમાં પ્રવાસીઓને નિરાશા મળશે. પ્રોજેક્ટ ખર્ચમાં ૭ કરોડનો વધારો થયો છે, જેના કારણે કામગીરી ધીમી પડી છે.
રાજકોટ લાયન સફારી પાર્કનું લોકાર્પણ ફરી મોડું, વેકેશનમાં પ્રવાસીઓ નિરાશ.
દિલ્હી NCR માં વરસાદની આગાહી, અનેક રાજ્યોમાં હવામાન બદલાશે
દિલ્હી-NCR માં 3 થી 5 મે દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગાજવીજ સાથે વરસાદની આગાહી છે, જે ગરમીમાં રાહત આપશે. ઉત્તર ભારતના રાજ્યો, રાજસ્થાન, મધ્યપ્રદેશ, યુપી, બિહાર અને પૂર્વોત્તર રાજ્યોમાં પણ હવામાન બદલાવવાની અને વરસાદની સંભાવના છે, જ્યાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ અને તેજ પવનની ચેતવણી અપાઈ છે.
દિલ્હી NCR માં વરસાદની આગાહી, અનેક રાજ્યોમાં હવામાન બદલાશે
હાઈપરસોનિક મિસાઈલ: ભારતની નવી ડિફેન્સ સિસ્ટમ, બ્રહ્મોસ કરતાં બમણી ઝડપ.
ભારત તેની સંરક્ષણ ક્ષમતાને મજબૂત કરવા માટે હાઈપરસોનિક મિસાઈલ ટેકનોલોજી પર ઝડપથી કામ કરી રહ્યું છે. DRDO ના જણાવ્યા અનુસાર, દેશ જલ્દી જ હાઈપરસોનિક ગ્લાઇડ મિસાઇલ અને હાઈપરસોનિક ક્રુઝ મિસાઇલથી સજ્જ થશે. આ મિસાઈલો સુપરસોનિક બ્રહ્મોસ કરતાં બમણી ઝડપી હશે અને તેને કોઈ ડિફેન્સ સિસ્ટમ રોકી શકશે નહીં. સ્ક્રેમજેટ એન્જિન પર આધારિત ક્રુઝ મિસાઈલના પરીક્ષણમાં પણ સફળતા મળી છે. સરકારની મંજૂરી બાદ 5 વર્ષમાં આ મિસાઈલ સિસ્ટમ સેનામાં સામેલ થશે.
હાઈપરસોનિક મિસાઈલ: ભારતની નવી ડિફેન્સ સિસ્ટમ, બ્રહ્મોસ કરતાં બમણી ઝડપ.
ફ્લાઈટમાં સિગારેટ પીનાર યુવકને 6 મહિનાની કેદ.
દિલ્હીથી બેંગ્લોર જતી એર ઇન્ડિયાની ફ્લાઈટમાં સિગારેટ પીવી યુવકને ભારે પડ્યું. સુરત કોર્ટે યુવકને 6 મહિનાની સખત કેદની સજા ફટકારી. આ ચુકાદો વિમાનમાં સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ માટે લાલબત્તી સમાન છે. ફ્લાઈટમાં ધૂમ્રપાન હજારો ફૂટની ઊંચાઈએ આગ લાગવાનું જોખમ ઊભું કરીને સેંકડો લોકોના જીવ જોખમમાં મૂકે છે. કોર્ટના આ કડક વલણની પ્રશંસા થઈ રહી છે.
ફ્લાઈટમાં સિગારેટ પીનાર યુવકને 6 મહિનાની કેદ.
પુણેમાં માનવતા શર્મસાર: 4 વર્ષની બાળકી પર 65 વર્ષના વૃદ્ધે દુષ્કર્મ આચર્યું
મહારાષ્ટ્રના પુણે જિલ્લાના ભોર તાલુકામાંથી એક કમકમાટીભરી ઘટના સામે આવી છે. અહીં વેકેશન માણવા પોતાની નાનીના ઘરે આવેલી ચાર વર્ષની માસૂમ બાળકી પર એક 65 વર્ષીય વૃદ્ધે દુષ્કર્મ ગુજાર્યા બાદ તેની પથ્થરથી કચડીને હત્યા કરી નાખી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે રોષ અને તણાવની સ્થિતિ સર્જાઈ છે.શું છે સમગ્ર ઘટના?બાળકી ઉનાળાના વેકેશનમાં પોતાની નાનીના ઘરે આવી હતી.
પુણેમાં માનવતા શર્મસાર: 4 વર્ષની બાળકી પર 65 વર્ષના વૃદ્ધે દુષ્કર્મ આચર્યું
દેશના 9 રાજ્યોમાં વાવાઝોડા-વરસાદનું એલર્ટ.
ભીષણ ગરમી વચ્ચે દેશના ૯ રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદની આગાહીથી લોકોને રાહત મળશે. હવામાન વિભાગે બિહારમાં ઓરેન્જ અને રાજસ્થાન સહિતના વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કર્યું છે, જેનાથી તાપમાનમાં ૩-૫°C નો ઘટાડો થશે. મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં કરા અને તેજ પવનો સાથે વરસાદની શક્યતા છે. મે મહિનામાં સામાન્ય કરતા વધુ વરસાદની સંભાવના છે, જોકે ગુજરાત અને મહારાષ્ટ્રમાં હીટવેવની સ્થિતિ યથાવત રહી શકે છે. વરસાદી માહોલને પગલે લૂ અને ગરમીથી કામચલાઉ રાહત મળશે.
દેશના 9 રાજ્યોમાં વાવાઝોડા-વરસાદનું એલર્ટ.
ડાયમંડ હાર્બર, મગરાહાટની 15 બેઠકો પર પુનર્મતદાન.
પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લાની 15 મતદાન બેઠકો પર EVM સાથે છેડછાડના આરોપ બાદ પુનર્મતદાન યોજાઈ રહ્યું છે. ફલતા વિસ્તારમાં 'કમળ' ચિહ્ન પર ટેપ લગાવવાના અને બૂથ કેપ્ચરિંગના આરોપો બાદ ચૂંટણી પંચે લોકપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 58(2) હેઠળ 29 એપ્રિલે થયેલ મતદાન રદ કરીને ફરીથી ચૂંટણી યોજવાનો આદેશ આપ્યો છે. ફલતાના અન્ય 30 બૂથો પર પણ પુનર્મતદાનની શક્યતા છે.
ડાયમંડ હાર્બર, મગરાહાટની 15 બેઠકો પર પુનર્મતદાન.
વેરાવળ ચૂંટણીનો વેર, ભાજપ મંત્રી પર હુમલો.
FPIની રૂ. 60,847 કરોડની વેચવાલી : 2026માં આઉટફ્લો રૂ. 1.92 લાખ કરોડ
FPI એ એપ્રિલમાં ભારતીય શેરબજારમાંથી રૂ. ૬૦,૮૪૭ કરોડ (૬.૫ બિલિયન ડોલર) પાછા ખેંચી લીધા છે. જેની પાછળનું મુખ્ય કારણ વધતા ભૂરાજકીય તણાવ અને વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાઓ હતું. NSDLના ડેટા અનુસાર, ૨૦૨૬ના પ્રથમ ચાર મહિનામાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો દ્વારા કુલ આઉટફ્લો રૂ. ૧.૯૨ લાખ કરોડ સુધી પહોંચી ગયો છે, જે સમગ્ર વર્ષ ૨૦૨૫ માટે રૂ. ૧.૬૬ લાખ કરોડના આઉટફ્લો કરતા નોંધપાત્ર રીતે વધારે છે.
FPIની રૂ. 60,847 કરોડની વેચવાલી : 2026માં આઉટફ્લો રૂ. 1.92 લાખ કરોડ
દારૂ પીને વિધાનસભામાં આવ્યા CM માન?
રાઘવ ચઢ્ઢા સહિત AAPના 7 સાંસદો ભાજપમાં જોડાતા પંજાબના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. વિરોધ પક્ષો સાથે આરોપ-પ્રતીઆરોપ વચ્ચે CM ભગવંત માનએ વિધાનસભાનું ખાસ સત્ર બોલાવ્યું. તેમણે કહ્યું કે સરકાર પાસે full majority છે અને ગમે ત્યારે સાબિત કરવા તૈયાર છે. વિપક્ષના નેતા પ્રતાપસિંહ બાજવાએ સત્ર દરમિયાન elco meter અને dope testingની માંગણી કરી.
દારૂ પીને વિધાનસભામાં આવ્યા CM માન?
ન્યૂક્લિયર સબમરીન બનાવનાર ભારત, કોમર્શિયલ જહાજ બનાવવામાં પાછળ.
ભારત INS અરિહંત બનાવે છે, પરંતુ કોમર્શિયલ જહાજ નિર્માણમાં વૈશ્વિક બજારમાં 1% થી ઓછો હિસ્સો ધરાવે છે. ચીન અને સાઉથ કોરિયા 80% બજાર પર કબજો ધરાવે છે. ભારતીય બેંકોના ઊંચા વ્યાજદરો શિપયાર્ડ્સ માટે મુશ્કેલી ઊભી કરે છે, જ્યારે વાર્ષિક 90 અબજ રૂપિયા ભાડું ચૂકવવું પડે છે.
ન્યૂક્લિયર સબમરીન બનાવનાર ભારત, કોમર્શિયલ જહાજ બનાવવામાં પાછળ.
E25 ઇંધણ પહેલાં પરીક્ષણ જરૂરી, ઓટો ઉદ્યોગની માંગ.
ભારતમાં ૨૪૦ મિલિયન ટુ-વ્હીલર અને ૪૦ મિલિયન કાર E25 ઇંધણ પર કેવી રીતે ચાલશે તે અંગે ઓટોમેકર્સ ચિંતિત છે. E20ની સમયમર્યાદા લંબાવાઈ રહી છે. ૨૦૨૬ સુધીમાં E25માં સંક્રમણ માટે સરકારી એજન્સીઓ દ્વારા પરીક્ષણ અને જાગૃતિ, યોગ્ય કિંમત, અને ઓટોમેકર્સનું માર્ગદર્શન જરૂરી છે.
E25 ઇંધણ પહેલાં પરીક્ષણ જરૂરી, ઓટો ઉદ્યોગની માંગ.
ઓટો ક્ષેત્રમાં તેજી: એપ્રિલમાં 4.5 લાખ કાર વેચાઈ.
નવા નાણાકીય વર્ષની શરૂઆત ઓટો ઇન્ડસ્ટ્રીઝ માટે ઉત્સાહજનક રહી છે. એપ્રિલમાં પેસેન્જર વાહનોનું વેચાણ 4.5 લાખ યુનિટ્સ નોંધાયું, જે ગત વર્ષ કરતાં 27% વધુ છે. મારુતિ સુઝુકી, હ્યુન્ડાઈ, ટાટા, મહિન્દ્રા, ટોયોટા, કિયા, ફોર્સ મોટર્સ અને નિસાન મોટર ઇન્ડિયા જેવી અગ્રણી કંપનીઓએ વેચાણમાં નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવી છે, જેમાં BMW F 450 GSની રજૂઆત પણ સામેલ છે.
ઓટો ક્ષેત્રમાં તેજી: એપ્રિલમાં 4.5 લાખ કાર વેચાઈ.
ટોયલેટ ટીશ્યુની આડમાં ડુપ્લિકેટ સિગારેટનું મોટું કૌભાંડ ઝડપાયું.
ડિરેક્ટોરેટે ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)ના અમદાવાદ ઝોનલ યુનિટ (AZU)એ સિંગાપોરથી આવેલા કન્ટેનરમાંથી 19.87 કરોડની નકલી સિગારેટ પકડી. ટોયલેટ ટિશ્યુની આડમાં છુપાવેલ આ જથ્થો ઉત્તર પ્રદેશ જવાનારી કન્સાઇનમેન્ટમાંથી મળ્યો. IPR પ્રતિનિધિએ તપાસ કરતાં સિગારેટ નકલી હોવાનું સાબિત થયું.
ટોયલેટ ટીશ્યુની આડમાં ડુપ્લિકેટ સિગારેટનું મોટું કૌભાંડ ઝડપાયું.
વર્તમાન મોસમમાં અપાયેલી છૂટના માત્ર 50% જ ખાંડ નિકાસ થવા સંભવ.
૨૦૨૫-૨૬ના ઓકટોબરથી સપ્ટેમ્બરની વર્તમાન ખાંડ મોસમમાં સરકાર દ્વારા એકંદરે મંજુર કરાયેલા ૧૫.૮૭ લાખ ટન ખાંડ નિકાસ કવોટામાંથી પચાસ ટકા જેટલી જ ખાંડની નિકાસ શકય બનશે તેમ સરકારી સુત્રો માની રહ્યા છે. ખાંડના વૈશ્વિક ભાવો નીચા પ્રવર્તતા હોવાથી વિશ્વ બજારમાં ભારત માટે ખાંડ નિકાસ કરવાનું મુશકેલ છે.વર્તમાન મોસમ માટે સરકારે પહેલા પંદર લાખ ખાંડ નિકાસની પરવાનગી આપી હતી. ત્યારબાદ વધુ પાંચ લાખની છૂટ આપવા નિર્ણય લેવાયો હતો.
વર્તમાન મોસમમાં અપાયેલી છૂટના માત્ર 50% જ ખાંડ નિકાસ થવા સંભવ.
ભારતમાં શ્રામિકોની સુખાકારી માટે સરકારના શ્રેણીબદ્ધ પગલાં.
૧લી મે વર્લ્ડ લેબર ડે તરીકે ઉજવાય છે. વિશ્વમાં ગરીબી અને મજૂરોની દયનીય હાલત વચ્ચે ભારતમાં સરકાર શ્રામિકોની સુખાકારી માટે શ્રેણીબદ્ધ પગલાં લઈ રહી છે. લઘુતમ વેતન, ૪ નવા લેબર કૉડ, પ્રધાનમંત્રી આવાસ યોજના, LPG, પીવાનું પાણી, અને સામાજિક સુરક્ષા જેવી યોજનાઓ દ્વારા મજૂરોને લાભ અપાઈ રહ્યો છે.
ભારતમાં શ્રામિકોની સુખાકારી માટે સરકારના શ્રેણીબદ્ધ પગલાં.
રથ પરથી કાંસાની થાળી પડવાનો ચમત્કાર, ખાવડ ગામનો 800 વર્ષીય ઉત્સવ.
મહેસાણાના ખાવડ ગામમાં 800 વર્ષ જૂનો માંડવી મહોત્સવ ઉજવાયો. વૈશાખ સુદ પૂનમના દિવસે મહાકાળી માતાજીના મંદિરે યોજાયેલા આ મહોત્સવમાં હજારો ભક્તો જોડાયા. પરંપરા મુજબ, 125 કાંસાની થાળીઓથી સજાવેલા રથ પરથી દર વર્ષે એક થાળી ચમત્કારિક રીતે નીચે પડે છે, જેને માતાજીની કૃપા માનવામાં આવે છે. આ ઉત્સવ ગામની શ્રદ્ધા અને સાંસ્કૃતિક વારસાનું પ્રતિક છે.
રથ પરથી કાંસાની થાળી પડવાનો ચમત્કાર, ખાવડ ગામનો 800 વર્ષીય ઉત્સવ.
પુનિયાદ ગામે તારકેશ્વર મહાદેવ મંદિરના પાટોત્સવની ભવ્ય ઉજવણી.
શિનોર તાલુકાના પુનિયાદ ગામે તારકેશ્વર મહાદેવ મંદિરે ભક્તિમય અને ધાર્મિક વિધિ વિધાન સાથે પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આચાર્ય વ્રજેશભાઈ મહારાજ દ્વારા રુદ્રયાગ શરૂ કરાયો, જેમાં ગામના નવ દંપતિઓએ ભાગ લીધો. બપોરે મહા પ્રસાદી પછી આનંદનો ગરબો અને સાંજે ભક્તોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો. રાત્રે ભજન સંધ્યા યોજાઈ.
પુનિયાદ ગામે તારકેશ્વર મહાદેવ મંદિરના પાટોત્સવની ભવ્ય ઉજવણી.
બંગાળમાં EVM સાથે છેડછાડ: 15 બુથ પર ફરી મતદાન
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પછી અનેક સ્થળે હિંસાની ઘટનાઓ બની. મતદાન સમયે કેટલાક બુથ પર EVM મશીનો પર ટેપ લગાવવાની ઘટનાઓ સામે આવી. આ સ્થિતિ વચ્ચે, Election Commission એ Bengal માં લગભગ 15 બુથ પર ફરીથી મતદાન જાહેર કર્યું છે. આ તમામ બુથ 24 Parganas જિલ્લામાં છે, જ્યાં હિંસાની ઘટનાઓ પણ સામે આવી હતી. Mamataએ EVM સાથે છેડછાડના આરોપો પર જીવ દાવ પર લગાવીને લડવાની વાત કરી. High Court એ TMCના આરોપો ફગાવી દીધા.
બંગાળમાં EVM સાથે છેડછાડ: 15 બુથ પર ફરી મતદાન
વિશ્વનો સૌથી પહોળો અંડરગ્રાઉન્ડ ટનલ!
મહારાષ્ટ્રના સ્થાપના દિવસ 1 મેના રોજ મહત્ત્વાકાંક્ષી મુંબઈ-પુણે મિસિંગ લિંક પ્રોજેક્ટ વાહનો માટે ખુલ્લો મુકાયો. આ પ્રોજેક્ટમાં નવયુગા એન્જિનિયરિંગ દ્વારા વિશ્વનો સૌથી પહોળો અંડરગ્રાઉન્ડ ટનલ બનાવીને બીજી વખત ગિનેસ વર્લ્ડ રેકોર્ડ નોંધાયો છે. આ 13.3 કિમી લાંબો પ્રોજેક્ટ સહ્યાદ્રિ પર્વતમાળાના પડકારજનક ભૂપ્રદેશમાંથી પસાર થાય છે. આ માર્ગ મુસાફરીનો સમય આશરે 30 મિનિટ ઘટાડશે અને ટ્રાફિક ભીડમાં રાહત આપશે. ટનલમાં આધુનિક સુરક્ષા સુવિધાઓનો સમાવેશ કરાયો છે.
વિશ્વનો સૌથી પહોળો અંડરગ્રાઉન્ડ ટનલ!
પશ્ચિમ બંગાળમાં 15 બૂથ પર આવતીકાલે ફરી મતદાન!
પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાના મતદાન દરમિયાન થયેલી હિંસા અને ગેરરીતિઓને ધ્યાને લઈને ચૂંટણી પંચે મોટો નિર્ણય લીધો છે. ચૂંટણી પંચે 15 બૂથો પર ફેર મતદાન યોજવાની જાહેરાત કરી છે. આ માટે નોટિફિકેશન પણ જાહેર કરી દેવાયું છે. દક્ષિણ 24 પરગણા જિલ્લાના ડાયમંડ હાર્બર અને મગરાહાટ પશ્ચિમ વિસ્તારના કુલ 15 મતદાન કેન્દ્રો પર 2 મેના રોજ ફરીથી મતદાન યોજવામાં આવશે. ચૂંટણી પંચના આદેશ મુજબ આ તમામ કેન્દ્રો પર શનિવારે સવારે 7 વાગ્યાથી મતદાનની પ્રક્રિયા શરૂ થશે. આ 15 મતદાન કેન્દ્રોમાં ડાયમંડ હાર્બરના 4 અને મગરાહાટ પશ્ચિમના 11 બૂથનો સમાવેશ થાય છે.
પશ્ચિમ બંગાળમાં 15 બૂથ પર આવતીકાલે ફરી મતદાન!
અમેરિકાથી આવશે અબજો ડોલર!
અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અનેક દેશો પર ટેરિફ ઝિંકીને અઢળક નાણાં મેળવી લીધા હતા, જોકે અમેરિકન સુપ્રીમ કોર્ટે ટેરિફને ગેરકાયદેસર જાહેર કરીને ટેરિફ પરત આપી દેવાનો આદેશ કર્યા બાદ હવે રિફંડ કરવાની પ્રક્રિયા આગળ વધી છે. આ પ્રક્રિયા મુજબ હવે ટુંક સમયમાં ભારત સહિતના દેશોના આયાતકારોને રિફંડ મળી જશે. રિપોર્ટ મુજબ, અમેરિકન આંતરરાષ્ટ્રીય વેપાર અદાલતમાં ટેરિફ રિફંડ મામલે અરજી દાખલ કરાઈ હતી, જેમાં કોર્ટના આદેશ મુજબ, પ્રથમ હપ્તાની ચુકવણી લગભગ 11 મેથી શરૂ થવાની આશા છે.
અમેરિકાથી આવશે અબજો ડોલર!
CM ભગવંત માન પર દારૂ પીને પંજાબ વિધાનસભામાં હાજર થવાનો આરોપ
પંજાબના વિપક્ષના મુખ્યમંત્રી ભગવંત માન પર દારૂ પીને પંજાબ વિધાનસભામાં હાજર થવાનો આરોપ લાગ્યો છે. આ મામલે એક વીડિયો સોશિયલ મીડિયા માધ્યમ 'X' શેર કરવામાં આવ્યો છે. આરોપ છે કે, મુખ્યમંત્રી ભગવંત માન નશાની હાલતમાં વિધાનસભામાં સંબોધિત કર્યું હતું. જેને લઈને કોંગ્રેસ, ભાજપ અને શિરોમણી અકાલી દળે એક સુરમાં CM માન સામે તપાસની માગ ઉઠાવી છે. કોંગ્રેસના ધારાસભ્ય પરતાપ સિંહ બાજવાએ આ મામલે પંજાબ વિધાનસભા સ્પીકરને પત્ર લખ્યો છે. જેમાં બાજવાએ માગ કરી છે કે, 'સદનમાં હાજર તમામ સદસ્યો સહિત મુખ્યમંત્રીનું ડોપ ટેસ્ટ થયુ જોઈએ.'
CM ભગવંત માન પર દારૂ પીને પંજાબ વિધાનસભામાં હાજર થવાનો આરોપ
મોબાઈલમાં જોરદાર સાયરન વાગે તો ગભરાતા નહીં! સરકાર કરી રહી છે ખાસ ટેસ્ટિંગ
જો તમારા મોબાઈલ ફોનમાં અચાનક જોરદાર સાયરન જેવો અવાજ આવે અને સ્ક્રીન પર NDMA (નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી) નો કોઈ મેસેજ દેખાય, તો ગભરાવાની જરૂર નથી. ભારત સરકાર દેશમાં એક નવું ડિઝાસ્ટર વોર્નિંગ સિસ્ટમ એટલે કે 'સેલ બ્રોડકાસ્ટ એલર્ટ' (Cell Broadcast Alert) ટેસ્ટ કરી રહી છે. 2 મે, 2026 ના રોજ તમારા વિસ્તારમાં આ ટેસ્ટિંગ કરવામાં આવશે. મેસેજમાં સ્પષ્ટ લખ્યું હશે કે: NDMA તમારા વિસ્તારમાં સેલ બ્રોડકાસ્ટ એલર્ટનું પરીક્ષણ કરશે. આ મેસેજ મળવા પર તમારે કોઈ પગલાં લેવાની જરૂર નથી. કૃપા કરીને ગભરાશો નહીં.
મોબાઈલમાં જોરદાર સાયરન વાગે તો ગભરાતા નહીં! સરકાર કરી રહી છે ખાસ ટેસ્ટિંગ
10 વર્ષ લિવ-ઈનમાં રહી, પણ કોર્ટે ન્યાયના નામે મજાક કરી!
૧ એપ્રિલ, ૨૦૨૬ના રોજ હાઈકોર્ટે દિવંગત સુપરસ્ટાર રાજેશ ખન્ના અને અનિતા અડવાણીના સંબંધો અંગે મહત્વનો ચુકાદો આપતા અનિતાની અરજી ફગાવી દીધી છે. કોર્ટે આ સંબંધને કાયદેસરના લગ્ન તરીકે માન્યતા આપવાનો ઇનકાર કરતા તેને 'લિવ-ઇન રિલેશનશિપ' ગણાવી છે. અનિતા અડવાણીનો દાવો છે કે તેઓ એક દાયકા સુધી સાથે રહ્યા હતા અને ખાનગીમાં લગ્ન કર્યા હતા, જ્યારે રાજેશ ખન્નાના પરિવારે આ દાવાઓને નકારી કાઢ્યા છે. જોકે, અનિતાએ પોતાના સન્માન માટે કાયદાકીય લડત ચાલુ રાખવાની મક્કમતા દર્શાવી છે.
10 વર્ષ લિવ-ઈનમાં રહી, પણ કોર્ટે ન્યાયના નામે મજાક કરી!
ફિલ્મમાં હિંસા અને ગાળો મુદ્દે રણવીર સિંહનો ફરહાન અખ્તર સાથે ડખો!
બોલિવૂડના સુપરસ્ટાર રણવીર સિંહ અને ડિરેક્ટર ફરહાન અખ્તર વચ્ચે 'ડોન 3' ફિલ્મને લઈને સર્જાયેલો વિવાદ હવે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ હાઈ-પ્રોફાઈલ પ્રોજેક્ટ હવે મુશ્કેલીમાં મુકાયો હોય તેમ જણાય છે. એક અહેવાલ અનુસાર, રણવીર સિંહ ઈચ્છતો હતો કે 'ડોન 3'માં તેનો નેગેટિવ રોલ આજના સમયના ટ્રેન્ડ મુજબ વધુ હિંસક અને 'ડાર્ક' હોય. રણવીરનું માનવું હતું કે પ્રેક્ષકોને અત્યારે પડદા પર લોહીલુહાણ દ્રશ્યો અને ગાળાગાળીવાળી ભાષા વધુ પસંદ આવી રહી છે. તેણે આગ્રહ રાખ્યો હતો કે ડોનના ડાયલોગ્સમાં ગાળોનો ઉપયોગ થવો જોઈએ, પરંતુ ફરહાન અખ્તર આ વિચારના સખત વિરોધમાં હતો.
ફિલ્મમાં હિંસા અને ગાળો મુદ્દે રણવીર સિંહનો ફરહાન અખ્તર સાથે ડખો!
મમતા બેનર્જીના સ્ટ્રોંગ રૂમ પર ગંભીર આરોપ, ચૂંટણી પંચે શું કહ્યું?
પશ્ચિમ બંગાળમાં TMC અને BJP વચ્ચે આરોપ-પ્રત્યારોપ ચાલુ છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભવાનીપુર સીટના સ્ટ્રોંગ રૂમમાં EVM સાથે છેડછાડનો આરોપ લગાવ્યો. તેમણે પારદર્શિતા જાળવવા અને ગેરરીતિ નહિં સહન કરવાની ચેતવણી આપી. ચૂંટણી આયોગે તમામ આરોપો નકારી કાઢ્યા, EVM સુરક્ષિત હોવાનું જણાવ્યું.
મમતા બેનર્જીના સ્ટ્રોંગ રૂમ પર ગંભીર આરોપ, ચૂંટણી પંચે શું કહ્યું?
અટારી બોર્ડર સેરેમનીનો સમય બદલાયો, 6 થી 6:30 સુધી થશે.
અમૃતસર સ્થિત અટારી બોર્ડર પર પ્રસિદ્ધ રિટ્રીટ સેરેમનીનો સમય બદલાયો છે. હવે તે સાંજે 6 થી 6:30 વાગ્યા સુધી ચાલશે. હવામાન અને પ્રકાશને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. દર્શકોને સારો અનુભવ અને સુરક્ષા માટે આ ફેરફાર જરૂરી હતો. દેશભક્તિથી ભરપૂર આ સેરેમની જોવા હજારો લોકો આવે છે. આ નવો સમય 1 મેથી લાગુ કરાયો છે.