₹2,000થી વધુના UPI પેમેન્ટ પર લાગી શકે છે ચાર્જ, સરકાર કરી રહી છે તૈયારી?
₹2,000થી વધુના UPI પેમેન્ટ પર લાગી શકે છે ચાર્જ, સરકાર કરી રહી છે તૈયારી?
Published on: 05th August, 2026

ભારતની ફ્રી UPI પેમેન્ટ સિસ્ટમમાં ફેરફારની શક્યતા છે. સરકારે પેમેન્ટ અને સમાધાન પ્રણાલી કાયદામાં સુધારાનો પ્રસ્તાવ મૂક્યો છે, જેના હેઠળ ભવિષ્યમાં ચોક્કસ UPI વ્યવહારો પર વેપારી શુલ્ક (MDR) લાગી શકે છે. આ ફી ₹2,000 થી વધુના ટ્રાન્ઝેક્શન પર લાગી શકે છે, પરંતુ તે માત્ર ₹1.5 કરોડથી વધુ વાર્ષિક ટર્નઓવર ધરાવતા વેપારીઓ પર જ લાગુ થઈ શકે છે. આનાથી સામાન્ય ગ્રાહકો પર તાત્કાલિક કોઈ અસર નહીં થાય. આ સુધારાનો હેતુ ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવાનો છે.