લોનની EMI નહીં વધે: RBIએ બીજી વખત રેપો રેટ સ્થિર રાખ્યો
લોનની EMI નહીં વધે: RBIએ બીજી વખત રેપો રેટ સ્થિર રાખ્યો
Published on: 05th August, 2026

ભારતીય રિઝર્વ બેંક (RBI) એ મોનેટરી પોલિસી કમિટી (MPC) ની બેઠક બાદ ગવર્નર સંજય મલ્હોત્રા દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે રેપો રેટ 5.25% પર યથાવત રહેશે. આ સતત બીજી વાર છે જ્યારે RBIએ વ્યાજદરમાં કોઈ ફેરફાર કર્યો નથી. આ નિર્ણયનો સીધો અર્થ એ છે કે હોમ લોન, કાર લોન અને અન્ય વ્યક્તિગત લોનની EMI હાલ પૂરતી સ્થિર રહેશે અને લોન લેનારાઓને તાત્કાલિક રાહત મળશે. અગાઉ પણ RBIએ જૂનમાં રેપો રેટ સ્થિર રાખ્યો હતો.