અમર્યાદિત ઊર્જાનો નવો સ્ત્રોત ‘થોરિયમ’
અમર્યાદિત ઊર્જાનો નવો સ્ત્રોત ‘થોરિયમ’
Published on: 08th September, 2026

ભારત ઊર્જા જરૂરિયાતો માટે અન્ય દેશો પર નિર્ભર છે, પરંતુ 'થોરિયમ' ના ઉપયોગથી આ પરિસ્થિતિ બદલાઈ શકે છે. અગ્રણી પરમાણુ વૈજ્ઞાનિક ડૉ. અનિલ કાકોડકરે સૂચવ્યું છે કે લાંબા ગાળાની ઊર્જા સ્વતંત્રતા માટે થોરિયમનો ઉપયોગ શરૂ કરવો જોઈએ. થોરિયમ એ કુદરતી રીતે મળતું કિરણોત્સર્ગી તત્વ છે જે સ્વચ્છ ઊર્જાનો મોટો સ્ત્રોત બની શકે છે. તેના ઉપયોગથી ભારત ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બની શકે છે, કારણ કે વિશ્વનો 25% થોરિયમ ભંડાર ભારત પાસે છે. આ ઉપરાંત, થોરિયમ બળતણ કાર્યક્ષમ, પર્યાવરણને અનુકૂળ અને સલામત છે.