સુરત-ઉદયપુર વચ્ચે નવી વંદે ભારત એક્સપ્રેસ
સુરત-ઉદયપુર વચ્ચે નવી વંદે ભારત એક્સપ્રેસ
Published on: 31st August, 2026

દક્ષિણ ગુજરાત અને રાજસ્થાન વચ્ચે મુસાફરી કરતા લોકો માટે ખુશીના સમાચાર છે. પશ્ચિમ રેલવે સુરતથી ઉદયપુર સિટી વચ્ચે નવી સેમી-હાઈસ્પીડ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ કરી રહી છે. આ ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ દોડશે, પરંતુ દર મંગળવારે બંધ રહેશે. 8 કોચ સાથે આ ટ્રેનનું મેન્ટેનન્સ સુરતમાં થશે. ઉદયપુર-અસરવા (અમદાવાદ) વંદે ભારત ટ્રેન હવે કાયમી ધોરણે બંધ રહેશે અને તેના સ્થાને આ નવી ટ્રેન દોડશે.