ખેડૂતોનું દિલ્હી કૂચનું ફરી એલાન: ખનૌરી બોર્ડર પર કડક સુરક્ષા
ખેડૂતોનું દિલ્હી કૂચનું ફરી એલાન: ખનૌરી બોર્ડર પર કડક સુરક્ષા
Published on: 16th August, 2026

ખેડૂત સંગઠનોએ ખનૌરી દાતા સિંહવાલા બોર્ડરથી દિલ્હીના જંતર-મંતર સુધી પદયાત્રાનું એલાન કર્યું છે. જીંદ જિલ્લા પ્રશાસન અને પોલીસ કાયદો-વ્યવસ્થા જાળવવા સંપૂર્ણપણે સજ્જ છે. સુરક્ષા માટે ભારે પોલીસ બળ, ક્રોંકિટ બેરિકેડ્સ, વોટર કેનન અને વજ્ર વાહનો તહેનાત કરવામાં આવ્યા છે. 51 ખેડૂતોની આ યાત્રા જગદીશ સિંહ ડલ્લેવાલના નેતૃત્વ હેઠળ 29 ઓગસ્ટે દિલ્હી પહોંચશે. આ યાત્રા શહીદ ખેડૂત શુભકરણની સ્મૃતિમાં અને ભારત-અમેરિકા ટ્રેડ ડીલ રદ કરવા જેવી માંગણીઓ માટે યોજાઈ રહી છે.