સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં સાપ, સુરક્ષા કર્મચારીઓમાં દોડધામ.
સલમાન ખાનના મુંબઈ સ્થિત ગેલેક્સી એપાર્ટમેન્ટમાં સોમવારે એક ધામણ સાપ દેખાતા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું. પાર્કિંગ વિસ્તારમાં શટર નજીક સાપ જોવા મળતાં સુરક્ષા કર્મચારીઓએ તરત જ કાર્યવાહી કરી અને સ્થાનિક સ્નેક રેસ્ક્યુર વિકી દુબેને જાણ કરી હતી. રેસ્ક્યુ ટીમે શાંતિપૂર્ણ રીતે સાપને કાબૂમાં લઈને સુરક્ષિત સ્થળે ખસેડ્યો હતો. પકડાયેલો સાપ ઇન્ડિયન રેટ સ્નેક તરીકે ઓળખાય છે, જે બિનઝેરી હોય છે અને સામાન્ય રીતે ઉંદરો ખાય છે. આ ઘટના બાદ એપાર્ટમેન્ટમાં થોડો સમય ચિંતા અને ગભરાટનો માહોલ સર્જાયો હતો.
સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં સાપ, સુરક્ષા કર્મચારીઓમાં દોડધામ.
અફઘાનિસ્તાન સામે Team India જાહેર: 4 નવા ખેલાડીઓને મોટી તક.
અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ અને વનડે સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ટેસ્ટ સ્ક્વોડમાં શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, KL રાહુલ, સાઈ સુદર્શન, ઋષભ પંત, દેવદત્ત પડિક્કલ, નીતીશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, માનવ સુથાર, ગુરનૂર બ્રાર, હર્ષ દુબે, ધ્રુવ જુરેલનો સમાવેશ કરવામાં આવ્યો છે. વનડે સ્ક્વોડમાં શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, KL રાહુલ, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, નીતીશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, પ્રિન્સ યાદવ, પ્રસિદ્ધ કૃષ્ણા, ગુરનૂર બ્રાર, હર્ષ દુબેનો સમાવેશ કરવામાં આવ્યો છે.
અફઘાનિસ્તાન સામે Team India જાહેર: 4 નવા ખેલાડીઓને મોટી તક.
ફેમસ સિંગર ઇન્દર કૌરની અપહરણ બાદ હત્યા.
ઇન્દર કૌર ઉર્ફે યશઇન્દર કૌરની હત્યાના મામલે પંજાબમાં ચકચાર મચી ગઈ છે. સોમવારે તેની લાશ નીલો નહેરમાંથી મળી આવી હતી. માહિતી મુજબ લગભગ છ દિવસ પહેલા બંદૂકની અણીએ તેનું અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યારથી પરિવાર તેની શોધખોળ કરી રહ્યો હતો. પરિવારના આક્ષેપ મુજબ મોગાના એક યુવક દ્વારા ઇન્દર પર જબરદસ્તી લગ્ન માટે દબાણ કરવામાં આવતું હતું. ઇન્દરે ઇનકાર કરતાં આરોપીએ અપહરણ કરી હત્યાનું કાવતરું ઘડ્યું હતું. પરિવારનો દાવો છે કે આરોપી કેનેડાથી નેપાળ મારફતે પંજાબ આવ્યો અને ગુનો આચરી ફરી કેનેડા ભાગી ગયો.
ફેમસ સિંગર ઇન્દર કૌરની અપહરણ બાદ હત્યા.
અભિનેત્રી નેહલના દાવા પર અભિનેતા કરણ જોષીનો ખુલાસો!
ગુજરાતી ફિલ્મ લાલોને લઈને અભિનેત્રી નેહલ વડોલિયા અને અભિનેતા કરણ જોષી વચ્ચેનો વિવાદ ફરી ચર્ચામાં આવ્યો છે. નેહલે કરણ જોષી પર ઇન્સ્ટાગ્રામ પર અભદ્ર મેસેજ મોકલવાના આરોપ લગાવ્યા હતા, જ્યારે કરણે દાવો કર્યો કે પાંચ મહિના પહેલા તેનું સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક થયું હતું. કરણ મુજબ હેકિંગ દરમિયાન અનેક લોકોને આવા મેસેજ મોકલાયા હતા. બીજી તરફ નેહલે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને કહ્યું કે મામલો દબાવવાનો પ્રયાસ થયો હતો. આ વિવાદ બાદ સોશિયલ મીડિયા અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ભારે ચર્ચા અને વિવાદ સર્જાયો છે.
અભિનેત્રી નેહલના દાવા પર અભિનેતા કરણ જોષીનો ખુલાસો!
સમુદ્રમાં વધશે ભારતની તાકાત!
ભારત સરકાર ₹70,000 કરોડની સબમરીન ડીલ દ્વારા નૌકાદળની તાકાત વધારશે. Project-75 India હેઠળ 6 સબમરીન ખરીદાશે, જેમાં જર્મનીની Thyssenkrupp Marine Systems ટેકનોલોજી અને ડિઝાઈન આપશે. મઝગાંવ ડૉકયાર્ડ સાથે મળી ભારતમાં જ નિર્માણ થશે. AIP ટેકનોલોજી સબમરીનને લાંબો સમય પાણીમાં રહેવા સક્ષમ બનાવશે, જે દુશ્મનો માટે પડકારરૂપ બનશે. આ ડીલ પાકિસ્તાન અને ચીન જેવા દેશો માટે ચિંતાનો વિષય છે.
સમુદ્રમાં વધશે ભારતની તાકાત!
કોલકાતામાં મેસીનો જીવ જોખમમાં મૂકાયો!
લિયોનલ મેસીના કોલકાતા કાર્યક્રમ દરમિયાન થયેલી ગેરવ્યવસ્થાના મામલે નવો વળાંક આવ્યો છે. ‘GOAT India Tour’ના આયોજક શતાદ્રુ દત્તાએ પૂર્વ રમતગમત મંત્રી અરૂપ બિસ્વાસ, કાઉન્સિલર જુઈ બિસ્વાસ અને પૂર્વ DGP રાજીવ કુમાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં સુરક્ષા ભંગ અને મેસીની સુરક્ષા જોખમમાં મુકાઈ હોવાના ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. ડિસેમ્બર 2025માં સોલ્ટ લેક સ્ટેડિયમમાં ભારે ધમાલ અને તોડફોડ સર્જાઈ હતી, જેના બાદ શતાદ્રુ દત્તાની ધરપકડ થઈ હતી અને તેમણે 37 દિવસ જેલમાં વિતાવ્યા હતા. હવે આ મામલે રાજકીય અને રમતગમત જગતમાં ફરી ગરમાવો આવ્યો છે.
કોલકાતામાં મેસીનો જીવ જોખમમાં મૂકાયો!
જિંદગીમાં જોયું નહીં હોય તેવું આર્થિક તોફાન આવશે: રાહુલ ગાંધી
રાહુલ ગાંધી આજે ઉત્તર પ્રદેશના રાયબરેલીની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે ‘બડા મંગલ’ પ્રસંગે ચુરુઆ હનુમાન મંદિરમાં પૂજા કરી હતી. મીડિયા દ્વારા સમાજવાદી પાર્ટી સાથેના ગઠબંધન અંગે પૂછાયેલા સવાલનો તેમણે સીધો જવાબ ટાળ્યો અને પેટ્રોલ-ડીઝલના વધતા ભાવોને દેશનો સૌથી મોટો મુદ્દો ગણાવ્યો. રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર અને PM મોદી પર આકરા પ્રહારો કરતા કહ્યું કે મોંઘવારી અને ખોટી નીતિઓનો ફટકો સામાન્ય જનતા, મજૂરો અને નાના વેપારીઓને પડશે, જ્યારે મોટા ઉદ્યોગપતિઓ પર તેની અસર નહીં થાય.
જિંદગીમાં જોયું નહીં હોય તેવું આર્થિક તોફાન આવશે: રાહુલ ગાંધી
સચિન તેંડુલકરે અમદાવાદમાં યુવા ક્રિકેટર્સને આપી મહત્ત્વની ટિપ્સ.
અમદાવાદમાં SRT10 અલ્ટેવોલ એકેડેમીની મુલાકાત દરમિયાન, Sachin Tendulkar એ યુવા ક્રિકેટર્સ સાથે સંવાદ સાધ્યો. તેમણે રમતગમતમાં શિસ્ત, ધીરજ અને શીખવાની ખુશી પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે, "ભારતનું રમતગમતનું ભવિષ્ય પાયાના સ્તરે રોકાણ અને ભયમુક્ત પ્રોત્સાહન પર નિર્ભર રહેશે." ટેલેન્ટ ભગવાન આપે છે, પરંતુ તેનું શું કરવું તે તમારા હાથમાં છે, શોર્ટકટથી સફળતા મળતી નથી, તેમણે જણાવ્યું.
સચિન તેંડુલકરે અમદાવાદમાં યુવા ક્રિકેટર્સને આપી મહત્ત્વની ટિપ્સ.
સલમાન ખાનના shirtless ફોટો પર એક્સ ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાનીની કમેન્ટ!
સલમાન ખાનના નવા shirtless લૂકે સૌને ચોંકાવી દીધા. તેની ફિટનેસ જોઈ ફેન્સ અને તેની એક્સ ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાની પણ ફિદા થઈ. સંગીતાએ "Uff!" લખીને ફાયર ઇમોજી પોસ્ટ કરી, જેનાથી જૂના સંબંધોની યાદ તાજી થઈ. સલમાને "Alone" અને "Lonely" વચ્ચેનો ફરક સમજાવ્યો, પણ કહ્યું કે તે ક્યારેય lonely નથી કારણ કે તેની પાસે family, friends અને fans છે. 60ની ઉંમરે પણ તેની ફિટનેસ પ્રશંસનીય છે.
સલમાન ખાનના shirtless ફોટો પર એક્સ ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાનીની કમેન્ટ!
'PM મોદી પ્રેસને જવાબ આપશે?', વિદેશી મીડિયાના સવાલ બાદ ભડક્યું વિદેશ મંત્રાલય.
PM મોદીના યુરોપ પ્રવાસ દરમિયાન નોર્વેમાં યોજાયેલા પ્રેસ કાર્યક્રમ બાદ રાજકીય અને મીડિયા વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. કાર્યક્રમમાં મોદીએ નોર્વેના વડાપ્રધાન સાથે સંયુક્ત નિવેદન આપ્યું હતું, પરંતુ મીડિયાના સવાલો લીધા નહોતા. ત્યારબાદ વિદેશ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સમાં નોર્વેની મહિલા પત્રકારે ભારતમાં માનવાધિકાર અને પ્રેસ સ્વતંત્રતા મુદ્દે તીખા સવાલો પૂછ્યા હતા. તેના જવાબમાં વિદેશ મંત્રાલયના પશ્ચિમી મામલાના સચિવ સિબી જ્યોર્જે કડક શબ્દોમાં ભારતનો પક્ષ રજૂ કર્યો હતો. મોદી હાલ પાંચ દેશોના યુરોપ પ્રવાસ પર છે, જેમાં નોર્વે તેમનો ચોથો પડાવ રહ્યો છે.
'PM મોદી પ્રેસને જવાબ આપશે?', વિદેશી મીડિયાના સવાલ બાદ ભડક્યું વિદેશ મંત્રાલય.
જજ વિરુદ્ધ પોસ્ટ્સ, AAP નેતાઓ સામે ક્રિમિનલ કન્ટેમ્પ્ટ નોટિસ.
દિલ્હી દારૂ નીતિ કેસમાં આમ આદમી પાર્ટીના ટોચના નેતાઓ સામે હવે ક્રિમિનલ કન્ટેમ્પ્ટની કાર્યવાહી શરૂ થઈ છે. સોશિયલ મીડિયા પર ન્યાયાધીશ વિરુદ્ધ ચલાવવામાં આવેલા કથિત અભિયાનને ગંભીર ગણાવી દિલ્હી હાઈકોર્ટે પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત મનીષ સિસોદિયા, સંજય સિંહ, વિનય મિશ્રા, દુર્ગેશ પાઠક અને સૌરભ ભારદ્વાજને નોટિસ ફટકારી છે. જસ્ટિસ નવીન ચાવલા અને જસ્ટિસ રવિન્દર દુદેજાની બેન્ચે તમામ નેતાઓને ચાર સપ્તાહમાં જવાબ આપવા આદેશ કર્યો છે. કોર્ટે સોશિયલ મીડિયા અને ઈલેક્ટ્રોનિક પ્લેટફોર્મ પરની કથિત અપમાનજનક સામગ્રી સુરક્ષિત રાખવા પણ રજિસ્ટ્રીને નિર્દેશ આપ્યો છે.
જજ વિરુદ્ધ પોસ્ટ્સ, AAP નેતાઓ સામે ક્રિમિનલ કન્ટેમ્પ્ટ નોટિસ.
‘વિદેશ પ્રવાસનો ખર્ચ ગરીબો પાસેથી વસૂલાય છે’ પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારા મુદ્દે કોંગ્રેસનો કટાક્ષ.
દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ચાર દિવસમાં બીજી વખત વધારો થતાં સામાન્ય જનતા પર મોંઘવારીનો વધુ બોજ પડ્યો છે. કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી સહિતના વિપક્ષોએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરતા ભાવવધારાને જનતા વિરોધી ગણાવ્યો છે. કોંગ્રેસે સોશિયલ મીડિયા પર સરકારને ‘મોંઘવારી મેન’ કહી નિશાન સાધ્યું, જ્યારે વિપક્ષે ચૂંટણી બાદ વસૂલાત વધારવાનો આરોપ લગાવ્યો. બીજી તરફ ભાજપે વૈશ્વિક ઓઇલ કટોકટી અને યુદ્ધની પરિસ્થિતિને જવાબદાર ઠેરવી સરકારનો બચાવ કર્યો છે. વધતા ઇંધણ ભાવોને કારણે લોકોમાં અસંતોષ વધી રહ્યો છે અને રાજકીય માહોલ પણ ગરમાયો છે.
‘વિદેશ પ્રવાસનો ખર્ચ ગરીબો પાસેથી વસૂલાય છે’ પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારા મુદ્દે કોંગ્રેસનો કટાક્ષ.
સુપ્રીમ કોર્ટ: જરૂર પડે તો હડકાયા કૂતરાઓને દયામૃત્યુ આપો.
સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરાઓને હટાવવાના જૂના આદેશમાં ફેરફારનો ઇનકાર કર્યો. દેશમાં કૂતરા કરડવાના વધતા બનાવોને ધ્યાનમાં રાખીને, કોર્ટે કહ્યું કે જાહેર સુરક્ષા સર્વોપરી છે. જરૂર પડ્યે હડકાયા કે હિંસક કૂતરાઓને દયામૃત્યુ (Euthanasia) આપવાનો પણ નિર્દેશ આપ્યો. દરેક જિલ્લામાં 'Animal Birth Control Center' ફરજિયાત બનાવવા અને કાયદાનું કડકાઈથી પાલન કરવા જણાવ્યું.
સુપ્રીમ કોર્ટ: જરૂર પડે તો હડકાયા કૂતરાઓને દયામૃત્યુ આપો.
ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાનું ચાલુ રાખશે.
અમેરિકાના પ્રતિબંધોની છૂટ સમાપ્ત થયા બાદ પણ ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની આયાત ચાલુ રાખશે. પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ જણાવ્યું હતું કે આયાત યોજના પર કોઈ અસર નહીં થાય. વૈશ્વિક પુરવઠાને સ્થિર કરવા માટે, યુએસ ટ્રેઝરી વિભાગે સમુદ્રમાં ફસાયેલા રશિયન તેલના જહાજોમાંથી તેલ ખરીદવા માટે 30 દિવસનું અસ્થાયી લાઇસન્સ આપ્યું છે. આનાથી ઊર્જા-સંવેદનશીલ દેશોને રાહત મળશે. ભારતે મે મહિનામાં રેકોર્ડ 23 લાખ બેરલ પ્રતિ દિવસ ક્રૂડ ઓઇલની આયાત કરી.
ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાનું ચાલુ રાખશે.
ભારતના આ ગામમાં ક્યારેય નથી ખવાતા ડુંગળી લસણ અને માંસ!
ભારત તેની ભવ્ય અને વિશાળ સાંસ્કૃતિક તેમજ ધાર્મિક વિવિધતા માટે સમગ્ર વિશ્વમાં એક વિશેષ ઓળખ ધરાવે છે. દેશની અસંખ્ય પરંપરાઓમાં કેટલાક એવા અનોખા નગરો છે જે કડક શાકાહારી જીવનશૈલીનું પાલન કરે છે. બિહારના ગયા જિલ્લામાં આવેલું બિહિયાન ગામ ભારત દેશના સૌથી કડક અને સંપૂર્ણપણે શાકાહારી ગામોમાં અગ્રેસર ગણાય છે. અહીંના સ્થાનિક ગ્રામજનો છેલ્લા 300 વર્ષથી પણ વધુ સમયથી ઊંડી ધાર્મિક શ્રદ્ધા અને સામુદાયિક શિસ્તના આધારે આ જીવનશૈલી જીવે છે. લોકો માને છે કે શાકાહારી પ્રથાઓ પાળવાથી તેઓ બ્રહ્મા બાબાના ક્રોધથી બચે છે અને તેમના આશીર્વાદ ગામ પર સદાય રહે છે.
ભારતના આ ગામમાં ક્યારેય નથી ખવાતા ડુંગળી લસણ અને માંસ!
પશ્ચિમ બંગાળમાં ગેરકાયદેસર પ્રવાસીઓ સામે કડક કાર્યવાહીનું એલાન.
શુભેન્દુ અધિકારી સરકારે ગેરકાયદેસર પ્રવાસીઓને દેશ બહાર મોકલવાની કાર્યવાહી શરૂ કરવાની જાહેરાત કરી છે. મતદાર યાદીમાંથી તેમની ઓળખ અને ડિલીશન પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. TMC શાસનમાં વસ્તી ગણતરીમાં થયેલા વિલંબ અંગે પણ ઉલ્લેખ કર્યો. વિપક્ષ અને બાંગ્લાદેશના તત્વો પર પ્રહારો કરતા સુરક્ષા પર ભાર મૂક્યો. ભ્રષ્ટાચાર વિરૂદ્ધ પણ કડક પગલાં લેવાશે, ચાર અગ્રણીઓ સામે કાનૂની તપાસના આદેશ. કાયદો અને વ્યવસ્થા જાળવવા પર ભાર.
પશ્ચિમ બંગાળમાં ગેરકાયદેસર પ્રવાસીઓ સામે કડક કાર્યવાહીનું એલાન.
દેશભરમાં 7 દિવસીય તીવ્ર ગરમી, હીટવેવ ચાલુ રહેશે.
ઉત્તર અને મધ્ય ભારતના 10 રાજ્યોમાં આ અઠવાડિયે તીવ્ર ગરમી ચાલુ રહેશે. ઘણા વિસ્તારોમાં તાપમાન 45°C થી વધુ પહોંચી ગયું છે. 24 મે સુધી હીટવેવની અસર રહેશે. ઉત્તર પ્રદેશનું બાંદા 47.6°C સાથે સૌથી ગરમ રહ્યું. રાજસ્થાન, મધ્ય પ્રદેશ, પંજાબ, હરિયાણા અને મહારાષ્ટ્રમાં પણ તાપમાન 46°C થી વધુ રહ્યું.
દેશભરમાં 7 દિવસીય તીવ્ર ગરમી, હીટવેવ ચાલુ રહેશે.
ટ્વીશા શર્મા death: CCTV ફૂટેજ આવ્યા.
ભોપાલમાં ટ્વીશા શર્માના રહસ્યમય death કેસમાં નવો વળાંક. CCTV ફૂટેજમાં તે ટેરેસ પર એકલી દેખાય છે. એક કલાક પછી, પતિ, પાડોશી અને નોકર CPR આપતા દેખાય છે. પતિ સમર્થ સિંહ ફરાર, તેના પર રૂ. 10,000નું ઇનામ. સાસુએ દહેજ ઉત્પીડનના આરોપો નકારી, માનસિક બીમારીનો દાવો કર્યો. SIT તપાસ કરી રહી છે.
ટ્વીશા શર્મા death: CCTV ફૂટેજ આવ્યા.
પેટ્રોલ ડીઝલ ભાવ વધારો: મોંઘવારીનો ફરી પ્રહાર.
આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવ વધારાને કારણે પેટ્રોલ-ડીઝલના દરોમાં ફરી વધારો થયો છે. છેલ્લા પાંચ દિવસમાં આ બીજી વૃદ્ધિ છે. 2022ની જેમ ભાવ વધવાની ચિંતા છે. મહાનગરોમાં Petrol ₹98.64 થી ₹109.70 અને Diesel ₹91.58 થી ₹96.11 થયું છે. મધ્ય પૂર્વના તણાવને કારણે તેલ સંકટ ઘેરું બન્યું છે.
પેટ્રોલ ડીઝલ ભાવ વધારો: મોંઘવારીનો ફરી પ્રહાર.
અદાણીની US કાનૂની જીત: $10 બિલિયનના મહારોકાણનો માર્ગ મોકળો.
US જસ્ટિસ ડિપાર્ટમેન્ટ અને ટ્રમ્પ વહીવટીતંત્રે Adani Group સામેના કાનૂની વિવાદો પાછા ખેંચતા, $10 બિલિયનના વિશાળ રોકાણનો માર્ગ મોકળો થયો છે. આનાથી ઈન્ફ્રાસ્ટ્રક્ચર, એનર્જી, લોજિસ્ટિક્સ અને ડેવલપમેન્ટ ક્ષેત્રે વિસ્તરણને નવી દિશા મળશે. U.S. Securities and Exchange Commission સાથે પણ પારદર્શક સમજૂતીની પ્રક્રિયા ચાલી રહી છે.
અદાણીની US કાનૂની જીત: $10 બિલિયનના મહારોકાણનો માર્ગ મોકળો.
બંગાળની ખાડીમાં ચોમાસાએ પકડી ગતી, IMD એલર્ટ.
દક્ષિણ-પશ્ચિમ ચોમાસું બંગાળની ખાડી, અંડમાન-નિકોબાર અને અરબી સમુદ્રમાં પહોંચ્યું. આગામી 3-4 દિવસમાં ગતિ વધશે, અનેક રાજ્યોમાં વરસાદની શક્યતા. 50-60 કિમી/કલાક પવન ફૂંકાઈ શકે. ઓડિશા, પશ્ચિમ બંગાળ, આસામ સહિત 8 રાજ્યોમાં એલર્ટ. 26 મે સુધીમાં કેરળમાં સત્તાવાર પ્રવેશની ધારણા.
બંગાળની ખાડીમાં ચોમાસાએ પકડી ગતી, IMD એલર્ટ.
ઋષિકેશ રેલવે સ્ટેશન પાસે ઉજ્જૈન એક્સપ્રેસ ટ્રેનના 3 ડબ્બા પાટા પરથી ઉતર્યા.
ઋષિકેશમાં શન્ટિંગ કામગીરી દરમિયાન ઉજ્જૈની એક્સપ્રેસના એન્જિન અને અનેક કોચ પાટા પરથી ઉતરી ગયા. ખાલી કોચ નિયંત્રણ બહાર જઈ થાંભલા સાથે અથડાયો, પરંતુ સદભાગ્યે કોઈ મુસાફરને ઈજા થઈ નથી. આ ઘટના રેલ્વેની સુરક્ષા પ્રણાલી પર સવાલો ઉભા કરે છે.
ઋષિકેશ રેલવે સ્ટેશન પાસે ઉજ્જૈન એક્સપ્રેસ ટ્રેનના 3 ડબ્બા પાટા પરથી ઉતર્યા.
જનતા ખિસ્સા ખાલી કરવા તૈયાર રહે!
આજના સમયમાં સવારે ઉઠતાની સાથે જ જો કોઈ સમાચાર મિડલ ક્લાસ પરિવારનું આખું બજેટ હલાવી નાખતા હોય, તો તે છે ઈંધણના ભાવ. જો તમે વિચારતા હોવ કે ગત શુક્રવારે થયેલો ભાવવધારો છેલ્લો હતો, તો તમે ખોટા છો. સરકારે માત્ર 5 જ દિવસમાં જનતાને બીજો મોટો આંચકો આપતા ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ઝીંકી દીધો છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને વૈશ્વિક બજારની ઉથલપાથલની સીધી અસર હવે સામાન્ય ભારતીયના ખિસ્સા પર દેખાવા લાગી છે.
જનતા ખિસ્સા ખાલી કરવા તૈયાર રહે!
પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી વધારો, જાણો લેટેસ્ટ રેટ્સ
દેશમાં અમૂલ બાદ હવે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. પાંચ દિવસમાં પેટ્રોલ 90 પૈસા અને ડીઝલ 87 પૈસા મોંઘા થયા છે. ગુજરાતમાં પેટ્રોલ 98 રૂપિયાને પાર અને ડીઝલ 91.58 રૂપિયા થયું છે. ઈંધણ કંપનીઓ આજથી નવા ભાવ લાગુ કરશે, જેનાથી ગ્રાહકો પર આર્થિક બોજ વધશે.
પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી વધારો, જાણો લેટેસ્ટ રેટ્સ
બસપા રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો ગુમાવશે.
એક જમાનામાં ઉત્તર પ્રદેશમાં બસપા લાંબા સમય સુધી સત્તામાં રહી હતી. કાંશીરામ અને માયાવતીએ પક્ષની સ્થાપના કર્યા પછી દલીત અને ઓબીસીના સમર્થનને કારણે બસપા અને માયાવતી છવાઈ ગયા હતા. ધીમે ધીમે માયાવતીની પકડ ઓછી થતી ગઈ. એમની સામે થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપો અને ભેગી કરેલી મિલકતને કારણે તેઓ લોકોની નજરમાંથી ઉતરતા ગયા. હમણા બસપા નેશનલ પાર્ટી છે, પરંતુ ગમે ત્યારે આ દરજ્જો ગુમાવી શકે એમ છે. હમણા દેશમાં છ નેશનલ પાર્ટીઓ, ભાજપ, કોંગ્રેસ, બસપા, CPI(M) અને NCP છે.
બસપા રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો ગુમાવશે.
સક્ષમ પબ્લિક ટ્રાન્સપોર્ટ: ઈંધણ બચાવો, સુવિધા વધારો.
ભારતમાં લોકલ ટ્રાન્સપોર્ટની અછત, કાર પૂલિંગનો અભાવ હોવા છતાં ફ્યુઅલ બચાવવાની વાતો થાય છે. શહેરોમાં મેટ્રો, ટ્રેન, બસો વધી રહી છે, પણ ગામડાઓમાં સુવિધા નથી. શહેરીજનોને પણ પીક અવર્સમાં મેટ્રો-લોકલ ટ્રેનમાં મુશ્કેલી પડે છે, જે 48 ડિગ્રી તાપમાનમાં વધુ કઠિન બને છે.
સક્ષમ પબ્લિક ટ્રાન્સપોર્ટ: ઈંધણ બચાવો, સુવિધા વધારો.
ચીન ખાતેથી ભારતની ફર્ટિલાઈઝરની આયાતમાં 170 ટકાનો વધારો.
નાણાં વર્ષ ૨૦૨૬માં ચીન ખાતેથી ભારતની ફર્ટિલાઈઝરની આયાત વાર્ષિક ધોરણે ૧૭૦ ટકાથી વધુ વધી ૫૦.૨૦ લાખ ટન રહી હતી. જોકે ભારતને ખાતરના નિકાસકાર તરીકે રશિયાએ પ્રથમ ક્રમ જાળવી રાખ્યો હતો એમ વાણિજ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા ડેટા પરથી કહી શકાય છે.ગત નાણાં વર્ષમાં રશિયા ખાતેથી ફર્ટિલાઈઝરની આયાત વાર્ષિક ધોરણે ૩૫ ટકા વધી ૬૭.૧૦ લાખ ટન રહી હતી.
ચીન ખાતેથી ભારતની ફર્ટિલાઈઝરની આયાતમાં 170 ટકાનો વધારો.
ચાંદીમાં આયાત અંકુશોના પગલે રૂ.5000નો ઉછાળો.
મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવ ફરી ઉંચકાયા હતા. સરકારે ચાંદીની ઈમ્પોર્ટ પર અંકુશો લાદતાં તેની અસર પણ બજાર પર દેખાઈ હતી. વિશ્વ બજરામાં ભાવ ઘટયા પછી ફરી વધી આવ્યાના સમાચાર હતા. મુંબઈ કરન્સી બજારમાં રૂપિયો તૂટતાં તેની અસર પણ ઝવેરી બજાર પર દેખાઈ હતી. દરમિયાન, અમદાવાદ ઝવેરી બજારમાં આજે ચાંદીના ભાવ કિલોના રૂ.૫૦૦૦ વધી રૂ.૨ લાખ ૬૫ હજાર થયા હતા.
ચાંદીમાં આયાત અંકુશોના પગલે રૂ.5000નો ઉછાળો.
આયાત પરના નિયંત્રણો સોનાની માંગ ઘટાડશે નહીં.
UAEથી વધુ આયાતની શક્યતા છે. સરકારે સોવરિન ગોલ્ડ બોન્ડ દ્વારા આ સમસ્યા હલ કરવાનો પ્રયાસ કર્યો, પણ તે નિષ્ફળ ગયો. મોદીની અપીલ છતાં, સોના પરની આયાત ડ્યુટી ૬% થી ૧૫% વધાર્યા પછી પણ, લોકો સોનું ખરીદવાનું ચાલુ રાખશે. આનાથી દેશના બાહ્ય સંતુલનમાં સુધારો થવાની અપેક્ષા ઓછી છે.