વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી
Published on: 05th June, 2026

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતે આવ્યા હતા, જ્યાં તેમણે અંદાજે 18 હજાર કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. આ કાર્યક્રમ સંપૂર્ણપણે ઈકો-ફ્રેન્ડલી અને પ્લાસ્ટિક મુક્ત રાખવામાં આવ્યો હતો, જેમાં રિસાયકલ કરાયેલા કાપડમાંથી બનેલા બેકડ્રોપ, પાણી માટે માટલાઓનો ઉપયોગ અને સાઇકલ પર આવનાર બે હજાર લોકોને પ્રોત્સાહન આપવામાં આવ્યું. મહેમાનોના સ્વાગત માટે હેન્ડમેડ શિલ્પોનો ઉપયોગ કરાયો હતો. આ કાર્યક્રમ વિકાસ અને પર્યાવરણ સંરક્ષણનો અનોખો સમન્વય દર્શાવે છે. PM મોદીએ લક્ષદ્વીપના બંદર અને પ્રવાસન પ્રોજેક્ટ્સનું પણ વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું.