મોદીના 76મા જન્મદિવસ પર દેશભરમાં 'આશીર્વાદના દીવા'
મોદીના 76મા જન્મદિવસ પર દેશભરમાં 'આશીર્વાદના દીવા'
Published on: 17th September, 2026

વડાપ્રધાન મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે દેશભરમાં સાંજે 'આશીર્વાદના દીવા' પ્રગટાવાશે. ભાજપ અધ્યક્ષ નિતિન નવીને દેશવાસીઓને દીવા પ્રગટાવવા અપીલ કરી છે. મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, હરિયાણા અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં લાખો દીવા પ્રગટાવાની તૈયારી છે. મોદીના જન્મસ્થળ વડનગર અને લોકસભા ક્ષેત્ર વારાણસી વચ્ચે 1300 કિમીની બે બાઇક યાત્રાઓનું પણ આયોજન કરાયું છે. આ યાત્રાઓમાં 1,000 યુવાનો, 10 રાજ્યો અને 193 જિલ્લાઓ જોડાશે, જે 7 ઓક્ટોબરે સમાપ્ત થશે.