કેતનની હત્યારી સિયાનું નવું તરકટ, ચેતન સાથે પ્રેમાલાપ અંગે કર્યો ચોંકાવનારો ખુલાસો
કેતનની હત્યારી સિયાનું નવું તરકટ, ચેતન સાથે પ્રેમાલાપ અંગે કર્યો ચોંકાવનારો ખુલાસો
Published on: 01st July, 2026

પુણેના ઉદ્યોગપતિ કેતન અગ્રવાલના લોહગઢ કિલ્લા પરથી પડવાથી થયેલા મોતને પોલીસે કાવતરાપૂર્વકની હત્યા ગણાવી છે. તપાસમાં સામે આવ્યું કે મંગેતર સિયા ગોયલ અને તેના કથિત પ્રેમી ચેતન ચૌધરીએ મળીને હત્યાની યોજના બનાવી હતી. બંને વચ્ચે હત્યા પહેલાં 2,004 કોલ અને 238 કલાક વાતચીત થઈ હતી તેમજ ઓનલાઈન હત્યાની રીતો પણ શોધી હતી. પોલીસે ડિજિટલ પુરાવા, ડિલીટ કરેલી ચેટ્સ અને ક્રાઈમ સીનના આધારે તપાસ તેજ કરી છે.