અરુણાચલ સરહદે ચીનની ઘૂસણખોરીના દાવા ભારતીય સેનાએ ફગાવ્યા.
અરુણાચલ સરહદે ચીનની ઘૂસણખોરીના દાવા ભારતીય સેનાએ ફગાવ્યા.
Published on: 30th June, 2026

અરુણાચલ પ્રદેશમાં ચીનની સેનાએ ઘૂસણખોરી કરીને ભારતીય ક્ષેત્રની અંદર લશ્કરી કેમ્પ સ્થાપ્યા હોવાના મીડિયા અહેવાલોને ભારતીય સેનાએ સખત શબ્દોમાં નકારી કાઢ્યા છે. સેનાએ સત્તાવાર નિવેદન દ્વારા આ અહેવાલોને તદ્દન ખોટા અને આધારહીન ગણાવી સરહદ સુરક્ષા ચુસ્ત હોવાની ખાતરી આપી છે. આ વિવાદ સ્થાનિક સંગઠન 'નાહ વેલફેર સોસાયટી' દ્વારા ચીન પર આદિવાસી સમુદાયની પરંપરાગત જમીન પચાવી પાડવાના આક્ષેપ સાથેના મેમોરેન્ડમ બાદ શરૂ થયો હતો. બીજી તરફ, સરહદે શાંતિ જાળવવા માટે બેઇજિંગમાં ભારત-ચીન વચ્ચે બેઠક યોજાઈ હતી, જેમાં રચનાત્મક અને સકારાત્મક ચર્ચા થઈ હતી.