IIT Research: નેપાળ જેવો વિનાશ ભારતમાં?
IIT Research: નેપાળ જેવો વિનાશ ભારતમાં?
Published on: 02nd September, 2026

નેપાળની ભયાવહ પૂરની ઘટના બાદ હવે ભારતમાં પણ કુદરતી આપત્તિનું જોખમ વધ્યું છે. IIT મંડીના સંશોધન મુજબ, હિમાલય ક્ષેત્રમાં 9 થી 12 હિમનદી તળાવો અત્યંત ખતરનાક સ્થિતિમાં છે. છેલ્લા દાયકામાં આ તળાવોના કદમાં 30-60% વધારો થયો છે, જેનાથી ગ્લેશિયલ લેક આઉટબર્સ્ટ ફ્લડ (GLOF) નું જોખમ અનેકગણું વધ્યું છે. પ્રદૂષણ, અનિયંત્રિત બાંધકામ અને પ્રવાસન હિમનદીઓના ઝડપી પીગળવા માટે જવાબદાર છે, જે GLOF જેવી ઘટનાઓનું કારણ બની શકે છે.