અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે હોર્મુઝથી ભારતના 60 જહાજો સુરક્ષિત નીકળ્યા,
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે હોર્મુઝથી ભારતના 60 જહાજો સુરક્ષિત નીકળ્યા,
Published on: 05th August, 2026

અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) માં મિસાઈલ હુમલાઓ વચ્ચે ભારતે પોતાની ઊર્જા સુરક્ષા અને વેપાર માર્ગોને સુરક્ષિત રાખવામાં મોટી સફળતા મેળવી છે. સરકારે સંસદમાં જણાવ્યું કે, તમામ સુરક્ષા પડકારો છતાં ભારત આવતા 60 માલવાહક જહાજો હોર્મુઝની ખાડીમાંથી સુરક્ષિત રીતે પસાર થયા છે. આ ઉપરાંત, 3,972 ભારતીય નાવિકોને સુરક્ષિત સ્વદેશ પરત લાવવામાં આવ્યા છે. 24x7 કંટ્રોલ રૂમ, સતત સંપર્ક અને મદદના યોગ્ય સંકલન જેવા પગલાંઓથી ભારતની સપ્લાય ચેઈન સામાન્ય રહી છે.