દિવાળી-છઠ પહેલાં અમદાવાદથી પૂર્વોત્તર રાજ્યો માટે વધુ સ્પેશિયલ ટ્રેનોની માંગ
દિવાળી-છઠ પહેલાં અમદાવાદથી પૂર્વોત્તર રાજ્યો માટે વધુ સ્પેશિયલ ટ્રેનોની માંગ
Published on: 11th September, 2026

દિવાળી અને છઠ મહાપર્વને ધ્યાનમાં રાખીને, ગુજરાતમાં રહેતા ઉત્તર પ્રદેશ અને બિહારના પ્રવાસીઓ માટે અમદાવાદથી વધુ સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની માંગણી કરવામાં આવી છે. હાલમાં ઉપલબ્ધ ટ્રેનોમાં રિઝર્વેશન મળવું મુશ્કેલ છે અને લાંબી વેઇટિંગ લિસ્ટ જોવા મળી રહી છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા, અમદાવાદ જંકશન અને અસારવા ટર્મિનલથી જનસાધારણ એક્સપ્રેસ અને સ્લીપર સ્પેશિયલ ટ્રેનો શરૂ કરવાની રજૂઆત કરવામાં આવી છે. અખિલ ભારતીય રેલ ઉપભોક્તા સંઘે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરને પત્ર લખી, તહેવારો દરમિયાન મુસાફરોની વધતી સંખ્યાને પહોંચી વળવા ઓછામાં ઓછા એક મહિના અગાઉ સ્પેશિયલ ટ્રેનોની જાહેરાત કરવાની માંગ કરી છે.