સંસ્કાર ભારતી દ્વારા પ્રેમાનંદ વિદ્યા મંદિરમાં સંવિધાન ચિત્ર પ્રદર્શન શરૂ, જે 14મી એપ્રિલ સુધી ચાલશે.
સંસ્કાર ભારતી દ્વારા પ્રેમાનંદ વિદ્યા મંદિરમાં સંવિધાન ચિત્ર પ્રદર્શન શરૂ, જે 14મી એપ્રિલ સુધી ચાલશે.
Published on: 12th April, 2026

જૂનાગઢમાં સંસ્કાર ભારતી દ્વારા પ્રેમાનંદ વિદ્યા મંદિરમાં ચાર દિવસીય સંવિધાન ચિત્ર પ્રદર્શન શરૂ થયું. કાર્યક્રમનું ઉદ્ઘાટન ધારાસભ્ય સંજય કોરડીયા સહિત અન્ય મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં ધ્યેય ગીત અને કથ્થક નૃત્ય રજૂ થયા હતાં. આ પ્રદર્શન 11 એપ્રિલથી 14 એપ્રિલ સુધી ચાલશે. સંસ્કાર ભારતીના અધ્યક્ષ વિપુલ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. પ્રો. માધવી કવૈયા અને દિવ્ય રૂપારેલ દ્વારા સંચાલન થયું.