લખતર-વિરમગામ હાઈવે પર અકસ્માતમાં 7નાં મોત.
લખતર-વિરમગામ હાઈવે પર અકસ્માતમાં 7નાં મોત.
Published on: 13th April, 2026

ગુજરાતના હાઈવે પર અકસ્માતો વધી રહ્યા છે. લખતર-વિરમગામ હાઈવે પર ટ્રકે પદયાત્રીઓને કચડતા 7 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા. મૃતકો રાજકોટથી મેરા જઈ રહેલા ભરવાડ સમાજના હતા. અકસ્માતમાં 5 મહિલા અને 2 પુરુષોનાં મોત થયાં. પોલીસે ફરાર ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં શોક વ્યાપી ગયો છે અને હાઈવે પરની સુરક્ષા સામે પ્રશ્નો ઊભા થયા છે.