ટાટા સન્સના ચેરમેન 'ચન્દ્રા'ની ફરી નિમણૂક
ટાટા સન્સના ચેરમેન 'ચન્દ્રા'ની ફરી નિમણૂક
Published on: 19th September, 2026

ટાટા ગ્રુપના દિગ્ગજ બિઝનેસમેન એન. ચંદ્રશેખરન ('ચન્દ્રા') ની ટાટા સન્સના ચેરમેન પદે ફરીથી નિમણૂક બાદ આંતરિક વિવાદ સર્જાયો છે. બે મહિના પહેલાં તેમણે ત્રીજી ટર્મ માટે ના પાડ્યા બાદ હવે ટાટા ટ્રસ્ટે બહુમતીથી તેમને ફરી પસંદ કર્યા છે, જેનો ટાટા ટ્રસ્ટના ચેરમેન નોએલ ટાટાએ વિરોધ કર્યો છે. નોએલ ટાટા આ નિમણૂકને ગેરકાયદેસર ગણાવી રહ્યા છે, જે કંપનીની ઈમેજને નુકસાન પહોંચાડી રહ્યું છે. આ વિવાદ પ્રમોટરો અને CEO વચ્ચેની સત્તાની ખેંચતાણ દર્શાવે છે.