પાકિસ્તાનના ખાસ મિત્ર અઝરબૈજાનના ભારત સાથે સંબંધ સુધારવા પ્રયાસ
પાકિસ્તાનના ખાસ મિત્ર અઝરબૈજાનના ભારત સાથે સંબંધ સુધારવા પ્રયાસ
Published on: 25th June, 2026

ભારત સાથેના આર્થિક અને પ્રવાસન સંબંધો મજબૂત કરવા અઝરબૈજાને અમદાવાદથી બાકુ વચ્ચે સીધી ફ્લાઇટ શરૂ કરવાની યોજના જાહેર કરી છે અને ભારત સરકાર પાસે મંજૂરી માગી છે. મંજૂરી મળ્યા બાદ શરૂઆતમાં અઠવાડિયામાં ચાર ફ્લાઇટ શરૂ થશે. બાકુ ભારતીય પ્રવાસીઓ, ડેસ્ટિનેશન વેડિંગ અને મેડિકલ અભ્યાસ માટે લોકપ્રિય બની રહ્યું છે. પાકિસ્તાનનો નજીકનો સહયોગી હોવા છતાં અઝરબૈજાન ભારત સાથે સંબંધો સુધારવા અને ભારતીય પ્રવાસીઓને આકર્ષવા આ પગલું ભરી રહ્યું છે.