Menu
પ્રેમાનંદ મહારાજનો AI ફોટો વાયરલ થવા બદલ આશ્રમનો ગુસ્સો ભડક્યો, નોંધાઈ FIR
પ્રેમાનંદ મહારાજનો AI ફોટો વાયરલ થવા બદલ આશ્રમનો ગુસ્સો ભડક્યો, નોંધાઈ FIR
Published on: 21st June, 2025

આધ્યાત્મિક ગુરુ પ્રેમાનંદ ગોવિંદ ઉર્ફે પ્રેમાનંદજી મહારાજનો AI ફોટો વાયરલ થયો છે, જેના કારણે વિવાદ થયો છે. આ ફોટો જોઈને તેમના અનુયાયીઓ ભડકી ઉઠ્યા અને તેમની આસ્થાને ઠેસ પહોંચી છે. શિષ્ય ગૌતમ ચિલાનાએ સાઈબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી, ત્યારબાદ ધારા 299 અને IT એક્ટની ધારા 66C હેઠળ કેસ નોંધાયો. પોલીસ એ અજ્ઞાત વ્યક્તિનાં સોસિયલ મિડિયા અકાઉન્ટ્સ શોધી રહી છે જેઓએ ફોટો વાયરલ કર્યો હતો. વિધાન પ્રમાણે, વૃંદાવનના શ્રી રાધા કેલિ કુંજ આશ્રમે એડવાઈઝરી બહાર પાડીને આવા ફોટા ન બનાવવાની અને વાયરલ ન કરવાની અપીલ કરી છે.